લખીમપુર ખેરી હિંસા સુઆયોજીત હતી, ભાજપ મંત્રીના પુત્ર આશિષ મિશ્રાનું રક્ષણ કરે છે : અસદુદ્દીન ઓવૈસી
હૈદરાબાદના સાંસદ અને AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ગયા અઠવાડિયે લખીમપુર ખેરી હિંસા યોજના મુજબ કરવામાં આવી હતી.
નવી દિલ્હી : હૈદરાબાદના સાંસદ અને AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ગયા અઠવાડિયે લખીમપુર ખેરી હિંસા યોજના મુજબ કરવામાં આવી હતી. અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, લખીમપુર ખેરી હિંસાને ઘટના કે અકસ્માત કહી શકાય નહીં. કારણ કે, ઉપરથી પરવાનગી લીધા વગર કશું જ થઈ શકતું નથી. ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે, હિંસા ખરેખર આયોજનબદ્ધ હતી. 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.
'લખીમપુર ખેરી હિંસા સંપૂર્ણ તૈયારી સાથે કરવામાં આવી'
આજ તક સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, લખીમપુર ખેરી હિંસા કોઈ પ્રેરક પ્રતિક્રિયા ન હતી. તે સંપૂર્ણ તૈયારી સાથે કરવામાંઆવી હતી. તમે તેને કોઈ ઘટના કહી શકતા નથી, આ બધું ઉપરથી આપેલા આદેશ બાદ થયું છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ,અસદુદ્દીન ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આશિષને બચાવવાનો આરોપ લગાવ્યો હતો.
'તમે હજૂ મંત્રી તરીકે કેવી રીતે બેઠા છો?'
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા પર કટાક્ષ કરતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, જો કાર તમારી કે તમારા પરિવારના સભ્યોની છે, તો તમે હજૂ મંત્રી તરીકે કેવી રીતે બેઠા છો?
તમે કેવી રીતે કહી રહ્યા છો કે, ભાજપ જવાબદાર નથી? મંત્રીનો પુત્ર આશિષને બચાવવાનો ભાજપ પ્રયાસ કરી રહ્યો છે. આ સાથે ઓવૈસીએ ઉત્તરપ્રદેશ પોલીસ પરતપાસની પ્રક્રિયામાં વિલંબનો આરોપ લગાવ્યો છે.
'શું લોકોના જીવનની કિંમત માત્ર 45 લાખ છે'
ઉત્તરપ્રદેશ સરકારે ખેડૂતોના પરિવારોને આપેલા વળતર પર કટાક્ષ કરતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, "આ લોકોને (યોગી સરકાર) શરમ આવવી જોઈએ. શુંમાનવ જીવન માત્ર 45,00,000 રૂપિયા છે?"
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અનેહિંસામાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારને 45 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
'વડાપ્રધાન મોદી લખનઉ ગયા, પણ લખીમપુર ઘટના પર એક શબ્દ ન ઉચ્ચાર્યો'
અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉ ગયા હતા, પરંતુ લખીમપુર ખેરી હિંસાના પીડિતોના પરિવારોનેમળવા ગયા ન હતા અને તેમના વિશે એક શબ્દ પણ બોલ્યા નહીં.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકઆરોપો બાદ અજયકુમાર મિશ્રાને કેન્દ્રીય કેબિનેટમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ.