બે મહીનાથી ભાગતા ફરતા નારાયણ સાઇ આખરે પોલીસની પકડમાં
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: સુરત બળાત્કાર કેસમાં બે મહીનાથી ભાગતા ફરતા નારાયણ સાઇની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે નારાયણને દિલ્હી-પંજાબની સરહદ પર હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. આસારમનો પુત્ર નારાયણ સાઇ છેલ્લા 58 દિવસોથી પોલીસને લદાવી રહ્યો હતો. નારાણય સાઇને ગુજરાત અને દિલ્હી પોલીસની ખાસ ટીમે પકડી પાડ્યો હતો.
સુરત બળાત્કાર કેસમાં ભાગતા ફરતા નારાયણ સાઇની તપાસમાં પોલીસ દેશના દરેક રાજ્યોમાં દરોડા પાડી રહી હતી. લુકાઉટ નોટિસ જારી થયા બાદથી નારાયણ સાઇ પોલીસની આંખોમાં ધૂળ નાખીને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસને આજે મોટી સફળતા હાથ લાગી છે.
નારાયણની તપાસમાં પોલીસ નેપાળના જનકપુર અને કાઠમાંડૂ સુધી જઇ આવી હતી, પરંતુ તેનો કોઇ પતો લાગ્યો ન્હોતો. આની વચ્ચે ધરપકડથી બચવા માટે નારાયણ સાઇએ સુરત કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી પરંતુ સુનાવણી સતત ટળતી રહી અને નારાયણ સાઇને રાહત મળી નહી.

-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
