જેલમાંથી બહાર નીકળવા માટે આસારામે અંતિમ વિકલ્પ પસંદ કર્યો
નાબાલિક સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં રાજસ્થાનની જોધપુર જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહેલા આસારામનું જેલમાં મન નથી લાગી રહ્યું.
નાબાલિક સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં રાજસ્થાનની જોધપુર જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહેલા આસારામનું જેલમાં મન નથી લાગી રહ્યું. તેમને રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને પત્ર લખીને દયાની માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ તેમને જિલ્લાધિકારી પાસે પેરોલ માટે અરજી પણ કરી છે. પરંતુ તેમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

આપને જણાવી દઈએ કે આસારામે રાજસ્થાનના રાજ્યપાલનો દરવાજો ખખડાવ્યો છે. તેમને દયા અરજી રાજસ્થાનના રાજ્યપાલને મોકલી છે. હવે ડીજીપી જેલ મારફતે આખી રિપોર્ટ મંગાવી છે. ડીજી જેલે જોધપુર જેલ પાસે રિપોર્ટ માંગી છે. પોતાની અરજીમાં આસારામે સજા ઓછી કરવાની સાથે સાથે બીજી પણ કેટલીક રાહત આપવાની માંગણી કરી છે.
આ પણ વાંચો: જાણો કોણ છે વકીલ, જેમને ધમકીઓ વચ્ચે આસારામને જેલ પહોંચાડ્યો
અત્યારસુધીમાં 10 જામીન અરજીઓ રદ થઇ ચુકી છે
આસારામની નીચલી અદાલતથી લઈને સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવેલી દયા યાચિકા સતત રદ થઇ ચુકી છે. દેશના મોટા મોટા વકીલો રામ જેઠ મલાનીથી લઈને સુભ્રમણ્યમ સ્વામી સુધી આસારામની જામીન માટે પ્રયાસ કરી ચુક્યા છે. પરંતુ તેઓ બધા જ આસારામને જેલથી બહાર કાઢવામાં અસફળ રહ્યા છે. જોધપુર સેશન કોર્ટ, રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં અત્યારસુધીમાં આસારામની લગભગ 10 જામીન અરજીઓ રદ થઇ ચુકી છે.
આ પણ વાંચો: ઓફિસર, જેને 2000 ધમકીઓ મળ્યા પછી પણ આસારામ કેસની જાંચ કરી












Click it and Unblock the Notifications
