પુડુચેરીના પ્રવાસે પહોંચ્યા રાહુલ ગાંધી, માછીમારોને કહ્યુ - કૃષિ કાયદાથી દરેકને નુકશાન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પુડુચેરી પ્રવાસે પહોંચ્યા છે.
નવી દિલ્લીઃ પુડુચેરીમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર પર જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય એ જૉન કુમારના રાજીનામા આપ્યા બાદ હવે રાજ્યમાં બંધારણીય સંકટ ઉભુ થઈ ગયુ છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પુડુચેરી પ્રવાસે પહોંચ્યા છે. રાહુલ ગાંધી આજે માછીમાર સમાજ સાથ વાતચીત કરશે. ત્યારબાદ એક કૉલેજમાં છાત્રો સાથે વાતચીત કરશે અને પછી એક સાર્વજનિક બેઠક કરશે. તમને જણાવી દઈએ કે આ વર્ષ યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો પુડુચેરીનો આ પહેલો પ્રવાસ છે.

પુડુચેરીના મુથિયાલપેટ પહોંચેલ રાહુલ ગાંધીએ સૌથી પહેલા માછીમારો સાથે સીધો સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓને સાંભળી. રાહુલ ગાંધીએ કહ્યુ કે કેન્દ્ર સરકારે ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા પાસ કર્યા છે. જેનાથી દરેકને નુકશાન થશે. ખેડૂતો આપણા દેશની કરોડરજ્જુ છે પરંતુ ભારત સરકારે તેમને પૂછ્ય વિના જ આ ત્રણે કાયદા બનાવી દીધા. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ કે માછીમારો માટે અલગ મંત્રાલય હોવુ જોઈએ જેથી તેમનો અવાજ સીધો સરકાર સુધી પહોંચી શકે.
પોતાના સંવાદમાં રાહુલ ગાંધીએ માછીમારોને પણ પેન્શન અને વીમા જેવી સુવિધાઓ આપવાની વાત કહી. તેમણે કહ્યુ કે, 'અહીં તમિલ ભાષા જ સર્વોપરિ છે અને ત્યારબાદ બીજી ભાષાને સાંભળવી જોઈએ. કૃષિ કાયદા પર નિશાન સાધીને રાહુલ ગાંધીએ કહ્યુ કે આ કાયદો માત્ર ખેડૂત જ નહિ પરંતુ માછીમારો અને બધા સામાન્ય લોકોને નુકશાન કરવાનો છે. માછીમારો પણ દેશના સમુદ્રવાળા ખેડૂત છે જે દેશવાસીઓ માટે કામ કરી છે. અમે ઈચ્છીએ છીએ કે સમુદ્રની તાકાત માછીમારો પાસે રહે, નહિ કે એક-બે લોકો પાસે રહે.'
Govt passed 3 Bills against farmers, the backbone of a nation. You must be wondering why am I talking about farmers at meeting of fishermen. I consider you as farmers of sea. If farmers of land can have ministry in Delhi, why is that farmers of sea don't have the same: R Gandhi https://t.co/S8mPZUgsCF pic.twitter.com/yWWfhOjTS1
— ANI (@ANI) February 17, 2021
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
