પુડુચેરીના પ્રવાસે પહોંચ્યા રાહુલ ગાંધી, માછીમારોને કહ્યુ - કૃષિ કાયદાથી દરેકને નુકશાન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પુડુચેરી પ્રવાસે પહોંચ્યા છે.

નવી દિલ્લીઃ પુડુચેરીમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર પર જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય એ જૉન કુમારના રાજીનામા આપ્યા બાદ હવે રાજ્યમાં બંધારણીય સંકટ ઉભુ થઈ ગયુ છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પુડુચેરી પ્રવાસે પહોંચ્યા છે. રાહુલ ગાંધી આજે માછીમાર સમાજ સાથ વાતચીત કરશે. ત્યારબાદ એક કૉલેજમાં છાત્રો સાથે વાતચીત કરશે અને પછી એક સાર્વજનિક બેઠક કરશે. તમને જણાવી દઈએ કે આ વર્ષ યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો પુડુચેરીનો આ પહેલો પ્રવાસ છે.

rahul gandhi

પુડુચેરીના મુથિયાલપેટ પહોંચેલ રાહુલ ગાંધીએ સૌથી પહેલા માછીમારો સાથે સીધો સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓને સાંભળી. રાહુલ ગાંધીએ કહ્યુ કે કેન્દ્ર સરકારે ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા પાસ કર્યા છે. જેનાથી દરેકને નુકશાન થશે. ખેડૂતો આપણા દેશની કરોડરજ્જુ છે પરંતુ ભારત સરકારે તેમને પૂછ્ય વિના જ આ ત્રણે કાયદા બનાવી દીધા. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ કે માછીમારો માટે અલગ મંત્રાલય હોવુ જોઈએ જેથી તેમનો અવાજ સીધો સરકાર સુધી પહોંચી શકે.

પોતાના સંવાદમાં રાહુલ ગાંધીએ માછીમારોને પણ પેન્શન અને વીમા જેવી સુવિધાઓ આપવાની વાત કહી. તેમણે કહ્યુ કે, 'અહીં તમિલ ભાષા જ સર્વોપરિ છે અને ત્યારબાદ બીજી ભાષાને સાંભળવી જોઈએ. કૃષિ કાયદા પર નિશાન સાધીને રાહુલ ગાંધીએ કહ્યુ કે આ કાયદો માત્ર ખેડૂત જ નહિ પરંતુ માછીમારો અને બધા સામાન્ય લોકોને નુકશાન કરવાનો છે. માછીમારો પણ દેશના સમુદ્રવાળા ખેડૂત છે જે દેશવાસીઓ માટે કામ કરી છે. અમે ઈચ્છીએ છીએ કે સમુદ્રની તાકાત માછીમારો પાસે રહે, નહિ કે એક-બે લોકો પાસે રહે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X