For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રસોઈ બનાવવાના અને જમવાના શોખીન છે વાજપેયીજી, જાણો કેટલીક ખાસ વાતો

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની લોકપ્રિય હસ્તીઓમાંથી એક એવા અટલ બિહારી વાજપેયીની તબિયત હજુ પણ નાજુક છે.

|
Google Oneindia Gujarati News

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની લોકપ્રિય હસ્તીઓમાંથી એક એવા અટલ બિહારી વાજપેયીની તબિયત હજુ પણ નાજુક છે. રાજધાની દિલ્હીના અખિલ ભારતીય આયર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) તરફથી જાહરે કરાયેલ બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 36 કલાકમાં તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નથી. વાજપેયી હજુ પણ વેન્ટીલેટર પર છે.

ઉચ્ચ વિચારોના માલિક અટલ બિહારી વાજપેયી

ઉચ્ચ વિચારોના માલિક અટલ બિહારી વાજપેયી

શ્રેષ્ઠ કવિ, મહાન નેતા અને સફળ પીએમ રૂપે પોતાની ઓળખ બનાવનાર અટલ બિહારી વાજપેયીની પ્રશંસા તેમના વિરોધીઓ પણ ઘણી શાનથી કરે છે. તમામ મુદ્દાઓ પર લોકોથી અલગ વિચારો ધરાવતા અટલ બિહારી વાજપેયી ઉચ્ચ વિચારોના માલિક રહ્યા છે. તેમના જીવનના ઘણા રોચલ પાસાં છે જેમના વિશે તેમની ભત્રીજી કરુણા શુક્લાએ જણાવ્યુ. જેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યુ કે તેમના કાકા અટલ બિહારી વાજપેયીએક ખૂબ જ સરળ અને ધીરજવાન વ્યક્તિ રહ્યા છે.

આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીએ કેમ કહ્યુ હતુ - ‘પાંચાલી અપમાનિત હે'આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીએ કેમ કહ્યુ હતુ - ‘પાંચાલી અપમાનિત હે'

અટલજીને કઢી, ગરમ ગુલાબજાંબુ અને ખીર પસંદ

અટલજીને કઢી, ગરમ ગુલાબજાંબુ અને ખીર પસંદ

ગુસ્સાથી દુશ્મની રાખનાર અટલ બિહારી વાજપેયી જ્યારે પણ ગ્વાલિયર આવતા તો ઘરમાં તહેવારનો માહોલ થઈ જતો. બાળકો સાથે પ્રેમ કરનારા અટલ જમવાનું બનાવવાના અને ખાવાના શોખીન રહ્યા છે. તેઓ જ્યારે પણ મળવા આવતા તો રસોઈમાં ઘૂસીને ઘણા વ્યંજન બનાવતા હતા. પોતાના બાળપણને યાદ કરતા કરુણાએ કહ્યુ કે અટલજી સાથે વીતાવેલી દરેક ક્ષણમ ખૂબ જ ખાસ છે. તેઓ હંમેશા ખૂબ સારી સારી વાતો કહેતા રહેતા હતા. કરુણાએ કહ્યુ કે અટલજીને કઢી, ગરમ ગુલાબજાંબુ અને ખીર ખૂબ પસંદ છે.

આ પણ વાંચોઃ કઈ બિમારી સામે ઝઝૂમી રહ્યા છે અટલ બિહારી વાજપેયીઆ પણ વાંચોઃ કઈ બિમારી સામે ઝઝૂમી રહ્યા છે અટલ બિહારી વાજપેયી

‘ખુલ્લી કિતાબ રહ્યુ છે અટલનું જીવન'

‘ખુલ્લી કિતાબ રહ્યુ છે અટલનું જીવન'

કરુણાએ કહ્યુ કે મારા પપ્પા અને કાકા અટલ બંને ખૂબ જ સારી કવિતાઓ લખ્યા કરતા હતા, અટલજી તો સામાન્ય વાતચીત પણ કવિતાના રૂપમાં કરતા હતા, તેમનું હ્રદય ખૂબ કોમળ છે અને તેઓ ક્યારેય પણ કોઈની સાથે ગુસ્સાથી વાત નહોતા કરતા. તેમનું સમગ્ર જીવન એક કોરા કાગળની જેમ બેદાગ અને સાફ રહ્યુ છે.

આ પણ વાંચોઃ Live: અટલ બિહારી વાજપેયીની હાલત નાજુક, પીએમ મોદી ફરીથી પહોચ્યા એઈમ્સઆ પણ વાંચોઃ Live: અટલ બિહારી વાજપેયીની હાલત નાજુક, પીએમ મોદી ફરીથી પહોચ્યા એઈમ્સ

English summary
Atal Bihari's Life is open Book said his niece Karuna Shukla, here is sone interesting facts about him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X