વડાપ્રધાન હુમલો કરીને પાક.ને સબક શીખવાડે: ઉદ્ધવ ઠાકરે

uddhav thakeray
મુંબઇ, 25 ઓગષ્ટ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું કે ભારતની સીમા પર સતત ઘુસણખોરી કરી રહેલા પાકિસ્તાન પર હુમલો કરીને તેને સબક શીખવાડે. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં પ્રકાશિત તંત્રીપાનામાં ઠાકરેએ જણાવ્યું કે પાકિસ્તાને હાલમાં જ સીમા પર વસેલા 13 ગામો પર હુમલો કર્યો, જમ્મુમાં 22 ચોકીઓ પર ગોળીબાર કર્યો, જેમાં બે લોકો માર્યા ગયા અને અન્ય ઘાયલ થયા જેના કારણે લોકોએ પોતાનું ઘર છોડવું પડી રહ્યું છે.

ઠાકરેએ જણાવ્યું, કે 2003 બાદથી આ ખૂબ જ મોટી ઘટના છે. પાકિસ્તાને ભારતીય વિસ્તારમાં 25 હુમલા કર્યા, પરંતુ આપણે કોઇ ફુસ્સ ફટાકડાની જેમ ચુપચાપ બેસેલા છીએ. શિવસેના પ્રમુખે જણાવ્યું કે પડોશી દેશની સાથે વધુ વાર્તા અને બેઠકો કરવી વ્યર્થ છે.

તેમણે જણાવ્યું કે ભારતે સચિવ સ્તરની વાર્તા રદ કર્યા બાદ નારાજગી જાહેર કરી દીધી છે, પરંતુ આટલું જ પુરતુ નથી. હવે આપણે તેમની સરહદમાં ઘુસીને તેમને સબક શીખવાડવો જોઇએ.

રક્ષા મંત્રી અરૂણ જેટલીએ પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવાનું આશ્વાસન આપ્યું છે અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહએ સીમા સુરક્ષા દળ પાસે જવાબી કાર્યવાહી શરૂ કરવા માટે કહ્યું છે છે. ઠાકરેએ જણાવ્યું કે હવે દેશ એ અપેક્ષા કરી રહ્યો છે કે પાકિસ્તાનની પૂંછમાં આગ લગાવીને રાખ કરી દેવામાં આવે. મોડું ના કરો, તેમને બતાવી દો કે આ એક મજબૂત રાષ્ટ્ર છે. ભારતની જનતાની સામે સાબિત કરો કે એક સશક્ત સરકારે સત્તા સંભાળી છે, અમારી કેન્દ્રને આ જ ભલામણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X