મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવાયા, ફેસબુક પોસ્ટમાં કહી આ વાત
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં એક મોટા સમાચાર આવ્યા છે. હવે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં એક મોટા સમાચાર આવ્યા છે. હવે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. રાજીવ ધવને આ વાત પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા જણાવી છે. તેણે આમાં કહ્યુ છે કે મને કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે કારણકે મારી તબિયત ઠીક નથી. આ બકવાસ છે. જમીયતનો એ હક છે કે મને કેસમાંથી હટાવી શકે છે પરંતુ જે કારણ આપવામાં આવ્યુ છે તે ખોટુ છે.

શું બોલ્યા રાજીવ?
રાજીવ ધવને આ પોસ્ટમાં કહ્યુ છે કે બાબરી કેસના વકીલ (એડવોકેટ ઑન રેકોર્ડ) એજાજ મકબૂલે મને સસ્પેન્ડ કરી દીધા છે, જે જમીયતનો કેસ જોઈ રહ્યા છે. કોઈ ડિમોર વિના મને સસ્પેન્શનનો પત્ર મોકલવામાં આવ્યો છે.

મુસ્લિમ પાર્ટીઓનો પક્ષ રાખ્યો હતો
રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં સુન્ની વકફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પાર્ટીઓનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે હવે તે આ કેસમાં શામેલ નહિ થાય. મને જણાવવામાં આવ્યુ છે કે મદનીએ મારા સસ્પેન્શ વિશે કહ્યુ છે. મારી તબિયતનો હવાલો આપીને મને હટાવવામાં આવ્યો છે કે જે એકદમ બકવાસ વાત છે.

શું હતો ચુકાદો?
નવ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવીને સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા હતા. કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને અતાર્કિક ગણાવી દીધા. કોર્ટે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડને બીજે ક્યાંય 5 એકર જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
