મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવાયા, ફેસબુક પોસ્ટમાં કહી આ વાત
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં એક મોટા સમાચાર આવ્યા છે. હવે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં એક મોટા સમાચાર આવ્યા છે. હવે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. રાજીવ ધવને આ વાત પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા જણાવી છે. તેણે આમાં કહ્યુ છે કે મને કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે કારણકે મારી તબિયત ઠીક નથી. આ બકવાસ છે. જમીયતનો એ હક છે કે મને કેસમાંથી હટાવી શકે છે પરંતુ જે કારણ આપવામાં આવ્યુ છે તે ખોટુ છે.

શું બોલ્યા રાજીવ?
રાજીવ ધવને આ પોસ્ટમાં કહ્યુ છે કે બાબરી કેસના વકીલ (એડવોકેટ ઑન રેકોર્ડ) એજાજ મકબૂલે મને સસ્પેન્ડ કરી દીધા છે, જે જમીયતનો કેસ જોઈ રહ્યા છે. કોઈ ડિમોર વિના મને સસ્પેન્શનનો પત્ર મોકલવામાં આવ્યો છે.

મુસ્લિમ પાર્ટીઓનો પક્ષ રાખ્યો હતો
રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં સુન્ની વકફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પાર્ટીઓનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે હવે તે આ કેસમાં શામેલ નહિ થાય. મને જણાવવામાં આવ્યુ છે કે મદનીએ મારા સસ્પેન્શ વિશે કહ્યુ છે. મારી તબિયતનો હવાલો આપીને મને હટાવવામાં આવ્યો છે કે જે એકદમ બકવાસ વાત છે.

શું હતો ચુકાદો?
નવ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવીને સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા હતા. કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને અતાર્કિક ગણાવી દીધા. કોર્ટે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડને બીજે ક્યાંય 5 એકર જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
