હવે મેનકા ગાંધી અને આઝમ ખાનના પ્રચાર કરવા પર EC એ પ્રતિબંધ લગાવ્યો
ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનને કાલ સવારથી 72 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જયારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમો માયાવતી તેમના ભડકાઉ ભાષણોને કારણે પ્રતિબંધિત કર્યા પછી હવે ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનને કાલ સવારથી 72 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જયારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ બંને નેતાઓ કોઈ પણ પ્રકારની ચૂંટણી રેલી અથવા ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લઇ શકે.
આ પણ વાંચો: યુપીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે આ રીતે બિછાવી માયાજાળ

જયાપ્રદા માટે અભદ્ર ટિપ્પણી
આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે આઝમ ખાન ઘ્વારા રામપુરમાં ભાજપા ઉમેદવાર જયાપ્રદા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને કારણે પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાને ભાજપા ઉમેદવાર જયાપ્રદા માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. ચૂંટણી પંચે તપાસમાં જોયું કે રામપુરથી સપા ઉમેદવાર આઝમ ખાને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આઝમ ખાને લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે અધિકારીઓથી ડરવાની જરૂર નથી.
|
માટે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
બીજી બાજુ મેનકા ગાંધી પર પણ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં આયોજિત કરવામાં આવેલી એક રેલીમાં મુસ્લિમ સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે ચૂંટણી તો હું જીતી રહી છું, તમે પણ વોટ આપજો, નહીં તો જયારે કામ કરાવવા આવશો ત્યારે જોઈ લેજો. આ બધા નિવેદનને કારણે ચૂંટણી પંચે આખરે સખત વલણ અપનાવતા એક નિર્ધારિત સમય માટે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.
|
અમને પણ બજરંગબલી પર વિશ્વાસ
જયારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક રેલીને સંબોધન કરતા કહ્યું કે જો કોંગ્રેસ, સપા અને બસપાને અલી પર વિશ્વાસ છે કે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. યોગી આદિત્યનાથે આ નિવેદન માયાવતીના નિવેદન પર આપ્યું હતું જેમાં માયાવતીએ એક રેલીને સંબોધન દરમિયાન મુસલમાનોને સપા-બસપા ગઠબંધનને વોટ આપવાની માંગ કરી હતી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
