જોધપુરમાં બાગેશ્વર ધામના બાબાએ નીકાળી પર્ચી, જાણો કોણ જીતશે બેઠક
Baba Bageshwar in Jodhpur: કોઇને પૂછ્યા વગર લોકોના મનની વાત જાણીને તેને પર્ચીમાં લખીને આપનારા બાબા બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ પંડિત ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી લોકસભા ચૂંટણી 2024માં પણ તેઓ કંઇક આવું જ કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2024 માટે રાજસ્થાનના પ્રવાસે આવેલા બાગેશ્વર બાબાએ જોધપુર સંસદીય બેઠક માટે ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ શેખાવતના નામની પરચી કાઢી છે. ગજેન્દ્ર સિંહ શેખાવત ત્રીજી વખત જોધપુરથી સાંસદની ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2014 અને 2019માં જીત મેળવી છે.
લોકસભા ચૂંટણી 2024માં ભાજપ હિન્દુત્વના મોટા ચહેરા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉપયોગ કરી રહી છે. હવે તેઓ રાજસ્થાનમાં પ્રવેશ્યા છે. રાજસ્થાનમાં તેમને ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા બાડમેર-જેલસીમેર અને જોધપુર લોકસભા મતવિસ્તારમાંથી બોલાવવામાં આવ્યા છે.
જોધપુરથી ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ શેખાવતે માહિતી આપી હતી કે, 8 એપ્રિલના રોજ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જોધપુરમાં તેમના નિવાસ સ્થાને આવ્યા હતા. તેમના પરિવાર સાથે તેમનું સ્વાગત કરીને મને આંતરિક સંતોષ મળ્યો હતો. તેમનો સરળ સ્વભાવ અને સનાતન સમાજના ઉત્થાન પ્રત્યે ગંભીર સમર્પણ તેમને વિશેષ બનાવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ દરમિયાન પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીએ પણ જોધપુર લોકસભા સીટ પર દાવો કર્યો હતો. ગજેન્દ્ર સિંહ શેખાવતની હાજરીમાં જોધપુર સીટની કાપલી કાઢતી વખતે તેમણે જણાવ્યું હતું કે, ભારત આગળ વધી રહ્યું છે. સમય જતાં જોધપુરમાં પણ જીત થશે.
નોંધનીય છે કે, જોધપુર સંસદીય ક્ષેત્રમાં રાજપૂત મતદારો વધુ છે. આની સાથે મુસ્લિમ, બિશ્નોઈ, બ્રાહ્મણો, જાટ, માલી અને મૂળ ઓબીસી સમુદાયો મહત્વની ભૂમિકા ભજવે છે.
ઉલ્લેખનીય છે કે, ગત વખતે કોંગ્રેસે ગજેન્દ્ર સિંહ શેખાવત સામે માળી સમાજમાંથી વૈભવ ગેહલોતને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. આ વખતે રાજપૂત સમુદાયના કરણ સિંહ શેખાવતની સામે મેદાનમાં છે.
માહિતી અનુસાર, 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી 29 લાખ 60 હજાર 625 છે, જેમાં 54.46 ટકા ગ્રામીણ અને 42.54 ટકા શહેરી છે. આવા સમયે, કુલ વસ્તીના 14.91 ટકા અનુસૂચિત જાતિના અને 3.46 ટકા અનુસૂચિત જનજાતિના લોકો છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
