રામ મંદિર ન બન્યું તો સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકેઃ રામદેવ બાબા
રામ મંદિર ન બન્યું તો સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકેઃ રામદેવ
વારાણસીઃ બાબા રામદેવે રામ મંદિર નિર્માણ મામલે શુક્રવારે મોટું નિવેદન આપ્યું. બાબા રામદેવે કહ્યું કે રામ મંદિર મુદ્દા પર કેન્દ્ર સરકારે અધ્યાદેશ લાવવો પડશે અથવા સંસદમાં કાયદો બનાવવો પડશે. રામદેવે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલામાં વિલંબ કરી રહી છે. જનતાનો વ્યવસ્થાથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. રામ મંદિરને લઈને લોકો બહુ ગુસ્સામાં છે. રામ મંદિર ન બનાવ્યું તો દેશમાં સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકે છે. રામદેવ બાબાએ કહ્યું કે આનાથી દેશને જ નુકસાન થવાની આશંકા છે.

પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે...
વારાણસીના સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પાણિની ભવનમાં ગુરુવારે આયોજિત અભિનંદન સમારોહ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રામદેવ બાબાએ કહ્યું કે રામ મંદિર બનાવવા માટે જનતાએ હવે દબાવ બનાવવો પડશે. એક સવાલના જવાબમાં એમણે કહ્યું કે સરકારના કામકાજ પર કોઈ ટિપ્પણી નહિ કરે. ન તો તે પક્ષમાં છે કે ન તો વિપક્ષમાં. કહ્યું કે મેં રાજનીતિ પર બોલવાનું બંધ કરી દીધું છે. મંદિર માટે સમજૂતીનો રસ્તો નીકળી ચૂક્યો છે.

કાયદો લાવીને રામ મંદિર બનાવો
એમણે કહ્યું કે સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો. મોદીથી મોટો રામભક્ત-રાષ્ટ્રભક્ત કોણ છે? માટે મંદિર નિર્માણનું કામ સંસદથી થવું જોઈએ. એમણે કહ્યું કે સમગ્ર દેશના ધર્મ, જ્ઞાન-સંસ્કૃકિ અને સભ્યતાનું કેન્દ્ર છે કાશી. આપણા પૂરા અનુષ્ઠાનમાં આ સંસ્કૃતિ દેખાવવી જોઈએ. વિશ્વ હિંદુ પરિષદ સહિત જે કોઈપણ સંગઠન રામ મંદિર નિર્માણ માટે 25 નવેમ્બરે આંદોલન કરી રહ્યા છે, તે ઠીક છે. આ મુદ્દા પર તમામે એક થઈને દબાવ બનાવવાની જરૂર છે.

દેશમાં કોઈને ખતરો નથી
બાબા રામદેવે કહ્યું કે રામ મંદિર બનાવવા માટે સંસદમાં અધ્યાદેશ અથવા કાયદો તુરંત લાવવો જોઈએ, જેમાં થોડી પણ વાર ન થવી જોઈએ. બીજી બાજુ બાબરી મસ્જિદના મુસ્લિમ પક્ષકારે કોર્ટમાં સલામતી માટે અપીલ કરી તેના પર પ્રતિક્રિયા આપતા રામદેવે કહ્યું કે ભારત દેશમાં હિંદુ અને મુસલમાન કોઈને પણ ખતરો નથી કેમ કે અહિંસા અને પ્રેમ આપણા દેશનું મૂળ તત્વ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
