બદરીનાથ-કેદારનાથના કપાટ આ દિવસે થશે બંધ, જાણો તારીખ અને સમય
વિજયાદશમીના પર્વ પર આજે બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ બંધ થવાની તિથિ અને સમય નક્કી કરવામાં આવ્યો.
દહેરાદૂનઃ વિજયાદશમીના પર્વ પર આજે બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ બંધ થવાની તિથિ અને સમય નક્કી કરવામાં આવ્યો. ગંગોત્રી મંદિરના કપાટ અન્નકૂટના પાવન પર્વ પર 15 નવેમ્બરે બપોરે 12.15 વાગે શીતકાલ માટે બંધ કરવામાં આવશે. દશેરાના પાવન પર્વ પર મંદિર સમિતિની બેઠકમાં ગંગોત્રી મંદિરના કપાટ બંધ કરવાનુ મૂહૂર્ત નક્કી કરવામાં આવ્યુ. મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલ તેમજ સચિવ દીપક સેમવાલે જણાવ્યુ કે બપોરે 12.30 વાગે ગંગાની ડોલી મુખબા માટે રવાના થશે અને ભાઈબીજના પાવન પર્વ પર 16 નવેમ્બરે મુખબા સ્થિત ગંગા મંદિરમાં મા ગંગાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે. યમુનોત્રી ધામના કપાટ 16 નવેમ્બરે ભાઈબીજના પાવન પર્વ પર બપોરે સવાર બાર વાગે અભિજીત લગ્ન પર શીતકાલ માટે બંધ કરવામાં આવશે.

19 નવેમ્બરે બંધ થશે બદરીનાથ ધામના કપાટ
મંદિર સમિતિના પ્રવકતા બાગેશ્વર ઉનિયાલે જણાવ્યુ કે આ પહેલા મા યમુનાના પિયર ખરશાલી ગામથી શનિદેવની ડોલી સાડા સાત વાગે પોતાની બહેન યમુનાની ડોલીને લેવા યમુનોત્રી ધામ માટે રવાના થશે. બદરીનાથ ધામના કપાટ 19 નવેમ્બરે ત્રણ વાગીને 35 મિનિટે મેષ લગ્નમાં બંધ થશે. રવિવારે વિજયા દશમી પર્વ પર બદરીનાથ ધામમાં રાવલ ઈશ્વરી પ્રસાદ નંબુદરી, મુખ્ય કાર્યાધિકારી બીડી સિંહ, તીર્થયાત્રીઓ તેમજ હક-હકૂકધરીઓની હાજરીમં ધર્માંધિકારી ભુવનચંદ્ર ઉનિયાલે ધામના કપાટ કરવાની બંધ કરવાની તિથિ ઘોષિત કરી.
16 નવેમ્બરે બંધ થશે કેદારનાથ ધામના કપાટ
રાવલ(મુખ્ય પૂજારી) ઈશ્વરી પ્રસાદ નંબૂદરીએ તિથિ પર પોતાની સંમતિ આપી. વળી, કેદારનાથ ધામના કપાટ 16 નવેમ્બરે સવારે 5.30 વાગે વિધિ વિધાન સાથે બંધ થશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
