સુરક્ષાદળો સાથે અથડામણમાં લશ્કર-એ-તોયબાના 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ. બે આતંકીઓ ઠાર, એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ.
રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા ખાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાના સમાચાર છે. બાંદીપોરા સ્થિત હાજિન ખાતે આ અથડામણ થઇ હતી, જેમાં સિક્યોરિટી ફોર્સે બે આંતકીઓના ઠાર માર્યા હતા. આ બંને આતંકીઓ લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ એક ભારતીય પોલીસ કોન્સ્ટેબલ શહિદ થયા હોવાના પણ સમાચાર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરક્ષાદળોને હાજિનના મીર મહોલ્લામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જે પછી સેનાએ તપાસ અભિયાન આરંભતા તે વિસ્તારની ઘેરાબંદી કરી હતી.

આતંકીઓને જ્યારે જાણ થઇ કે, તેઓ ચારે બાજુથી ઘેરાઇ ચૂક્યા છે, ત્યારે તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં લશ્કરનો એક આતંકી ઠાર મરાયો હતો. જો કે, આ વિસ્તારના લોકોએ સુરક્ષાદળોને રોકવા માટે પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં કાશ્મીરમાં સેના 'ઑપરેશન ઑલ આઉટ'માં કાર્યરત છે, જે હેઠળ તેઓ આતંકવાદીઓના સફાયામાં વ્યસ્ત છે. સુરક્ષાદળોએ કાશ્મીરમાં હાજર 258 આતંકીઓની સૂચિ તૈયાર કરી હતી. આ હેઠળ અનેક આતંકીઓ અથડામણમાં ઠાર મરાયા છે, મૃતકોમાં લશ્કર-એ-તોયબા, હિજબુલ મુજાહિદ્દીન અને અલ બદ્રના સંગઠનો સાથે જોડાયેલા આતંકીઓ છે. આ સૂચિમાં સૌથી વધુ આતંકીઓ કુપવાડા અને સોપોરના છે, જેઓ પાકિસ્તાનના સહકાર હેઠળ કાશ્મીરમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યાં છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
