પંજાબમાં ભગવંત માને વધુ આ 8 વ્યક્તિઓની VIP સુરક્ષા હટાવી
પંજાબમાં ભગવંત માને વધુ આ 8 વ્યક્તિઓની VIP સુરક્ષા હટાવી
પંજાબમાં ભગવંત માનની સરકારે 8 વધુ વીઆઈપીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાળી દળના નેતા હરસિમરત કૌર બાદલ અને પ્રદેશના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડનું નામ પણ સામેલ છે. જે 8 વીઆઈપીની સિક્યોરિટી હટાવવામાં આવી છે જેમાંથી 5ને ઝેડ શ્રેણી અને 3ને વાઈ પ્લસ શ્રેણીની સુરક્ષા મળી ગઈ હતી. આ વીઆઈપીની સુરક્ષામાં 127 પોલીસકર્મી અને 9 વાહન તેનાત હતા અને તે બધાની સિક્યોરિટી પાછી લઈ લેવાની જાણકારી છે. ભગવંત માન સરકાર અત્યાર સુધી કુલ 184 વીઆઈપીનું સિક્યોરિટી કવર ખતમ કરી ચૂકી છે.
પંજાબમાં વધુ 8ની સુરક્ષા હટાવાઈ
પંજાબ સરકારે વીવીઆઈ સુરક્ષા પર વધુ એક મોટો ફેસલો લેવાયો છે. મુખ્યમંત્રી ભગવંત માનની સરકારે અકાલી દળ નેતા હરસિમરત કૌર બાદલ અને કોંગ્રેસ નેતા સુનીલ જાખડ સહિત 8 વીવીઆઈની સુરક્ષા હટાવવાના કારણે આ જણાવવામાં આવ્યું છે તેને કોઈ ખાસ ખતરો નથી. પંજાબમાં હરસિમરત અને જાખડ સહિત જે 8 વીઆઈપીની સિક્યોરિટી છીનવી લેવામાં આવી છે, જેમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઓપી સોની, પૂર્વ કેબિનેટ મંત્રી વિજય ઈંદર સિંગલા, પૂર્વ ધારાસભ્ય પરમિંદર સિંહ પિંકી, પૂર્વ ધારાસભ્ય રાજિંદર કૌર ભટ્ટલ, પૂર્વ એમએલએ નવજોત સિંહ ચીમા અને પૂર્વ એમએલએ કેવલ સિંહ ઢિલ્લોં સામેલ છે.
પાંચ વીઆઈપી પાસે ઝેડ શ્રેણીની સુરક્ષા હતી
આ નેતાઓમાંથી ભટ્ટલ, ચીમા અને ઢિલ્લોં પાસે વાઈ પ્લસ શ્રેણીની સુરક્ષા હતી, જ્યારે બાકીના નેતાઓને ઝેડ શ્રેણીની સુરક્ષાનું કવર મળ્યું હતું. કુલ મિલાવી આ 8 પ્રોટેક્ટીની સુરક્ષામાં 127 પોલીસકર્મી અને 9 ગાડીઓ તેનાત હતી. બાદલની સુરક્ષામાં એક વાહન સાથે 13 પોલીસ વાળા તેનાત હતા. જ્યારે પૂર્વ લોકસભા સાંસદ સુનીલ જાખડને એક વાહન સાથે 14 સુરક્ષાકર્મીઓ તેનાત કરવામાં આવ્યા હતા.
કુલ 184 વીઆઈપીની સુરક્ષા પાછી ખેંચાઈ
પહેલા બે આદેશોમાં ભગવંત માન સરકારે 184 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી, જેમાં પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય ઉપરાંત પ્રાઈવેટ પ્રોટેક્ટી પણ સામેલ હતા. આવી રીતે જે નેતાઓની સિક્યોરિટી પહેલાં જ છિનવી લેવામાં આવી ચૂકી છે, તેમાં પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના પરિવાર વાળા, આઈપીએસ ગુરદર્શન સિંહ અને ઉદયબીર સિંહ. આ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી સુરજીત સિંહ રખડા, બીબી જાગીર કૌર, તોતા સિંહની સાથે જ કોંગ્રેસના પૂર્વ સાંસદ વરિંદર સિંહ બાજવા અને સંતોષ ચૌધરીની સુરક્ષા પણ પરત લેવામાં આવી છે.
ભગવંત માન સરકારે જે ભાજપી નેતાઓની સુરક્ષા પહેલે જ પાછી લઈ લીધી છે, તેમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશ બગ્ગા, સ્ટાર પ્રચારક માહી ગિલ, જિલ્લાધ્યક્ષ હરિંદર સિંહ કોહલી પણ સામેલ છે. માન સરકારે આ મામલે પહેલો આદેશ માર્ચમાં જ્યારે બીજો આદેશ એપ્રિલમાં અને ત્રીજો આદેશ 11 મેના રોજ જાહેર કર્યો છે.