ડાબેરીઓની ધરપકડ પર અરુંધતિ રોયઃ ‘દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે'
ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ રાજકારણ વધુ ગરમાયુ હોય તેવુ જણાઈ રહ્યુ છે.
ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ રાજકારણ વધુ ગરમાયુ હોય તેવુ જણાઈ રહ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાબેરી વિચારકોની ધરપકડ મામલે આરએસએસ પર કટાક્ષ કર્યો તો બીજી તરફ પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતિ રોયે કહ્યુ કે દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે.

‘ખોટા આરોપોમાં લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે'
અરુંધતિ રોયે કહ્યુ, ‘એક સાથે ધરપકડ એક એવી ખતરનાક સરકારનો સંકેત છે જેને પોતાનો જનાદેશ ગુમાવવા અને ગભરાટમાં તેની સરકાર પડી ભાંગવાનો ડર છે. વકીલો, કવિઓ, લેખકો, દલિત અધિકાર કાર્યકર્તાઓ તેમજ બુદ્ધિજિવીઓની ખોટા આરોપોમાં ધરપકડ કરવામાં આવી રહી છે. ધોળા દિવસે લોકોને ધમકાવનાર અને હત્યા કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ન્યાય સામે બોલનારા કે એક ખાસ વિચારધારા સામે બોલનારા લોકોને ગુનેગાર બનાવવામાં આવી રહ્યા છે.'

અરુંધતિ રોયનો મોટો આરોપ
અરુંધતિ રોયે કહ્યુ, ‘હત્યારાઓને સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમને સંરક્ષણ આપવામાં આવી રહ્યુ છે, હિંદુ બહુસંખ્યકો સામે બોલનારાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ બધુ એ તરફ ઈશારો કરે છે કે ભારત ક્યાં જઈ રહ્યો છે. જે કંઈ પણ બની રહ્યુ છે તે ખૂબ ખતરનાક છે. આ ચૂંટણી પહેલા તે આઝાદી અને ભારતીય બંધારણ સામે તખ્તાપલટની કોશિશ છે જેને આપણે સાચવી રાખ્યુ છે.'

નક્સલીઓ સાથેના સંબંધમાં ડાબેરીઓની ધરપકડ
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ડાબેરીઓની ધરપકડ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ મોદીની હત્યાના ષડયંત્રના આરોપમાં 5 ડાબેરી વિચારકોની ધરપકડ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ‘અહીં માત્ર એક જ એનજીઓ માટે જગ્યા છે અને તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બાકીનાને બંધ કરી દો. બધા કાર્યકર્તાઓને ગોળી મારી દો, જેલમાં મોકલી દો, આ ન્યૂ ઈન્ડિયા છે.'
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ







Click it and Unblock the Notifications
