ભાજપ અને સંઘે કરાવ્યો 'આપ'ના કાર્યાલય પર હુમલો: પ્રશાંત ભૂષણ
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: કૌશાંબી ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર થયેલા હુમલા અંગે પ્રશાંત ભૂષણનું કહેવું છે કે આ હુમલો ભાજપા અને સંઘ પરિવારે કરાવ્યો છે, જે તેમની હતાશા અને નિરાશાને ઉજાગર કરે છે. ઘટના સમયે ત્યાં ઉપસ્થિત આપના નેતા દિલીપ પાંડેના અનુસાર આજે સવારે 11 વાગ્યે હિન્દુ રક્ષા દળના 35થી 40 કાર્યકરોએ આપની ઓફિસ પર હુમલો કરીને કુંડાઓ અને બારીના કાચને તોડી નાખ્યા.
આ ઘટના પર આપ નેતા કુમાર વિશ્વાસનું કહેવું છે કે આ હુમલા માટે શ્રીરામ સેના અને ભાજપ જવાબદાર છે. ત્યાં હાજર લોકોના અનુસાર હુમલાખોરોએ ધમકી આપી છે કે તેઓ આપ નેતાઓ પર હુમલો કરતા રહેશે. દિલીપ પાંડેય અનુસાર તેમણે મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કર્યો.

હિન્દુ રક્ષા દળના લોકોએ જણાવ્યું કે ભલે કેજરીવાલનું માનવું હોય કે ભૂષણના નિવેદનનું તેઓ સમર્થન નથી કરતા પરંતુ અમે અમારા ધર્મ અને દેશની વિરુદ્ધ કોઇ પણ પ્રકારની વાંધાજનક ભાષાને સહી લઇશું નહીં.












Click it and Unblock the Notifications
