શિવસેના પછી હવે નીતીશ કુમારે ભાજપનું ટેંશન વધાર્યું
લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ કરાવ્યા પછી હવે મોદી સરકાર સામે પડકાર છે કે તેઓ તેને રાજ્યસભામાં પણ પાસ કરાવે.
લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ કરાવ્યા પછી હવે મોદી સરકાર સામે પડકાર છે કે તેઓ તેને રાજ્યસભામાં પણ પાસ કરાવે. પરંતુ રાજ્યસભામાં તે સરળ નથી લાગી રહ્યું. બિહારમાં જદયુ સાથે ભેગા મળીને સરકાર ચલાવી રહેલી ભાજપ સામે નીતીશ કુમાર રાજ્યસભામાં મુશ્કેલી વધારશે. જદયુ ઘ્વારા સાફ કહેવામાં આવ્યું છે કે તેઓ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરશે. ભાજપની આલોચના કરતા જદયુ ઘ્વારા કહેવામાં આવ્યું કે આ બિલની કોઈ જરૂર ના હતી. તેને સંસદમાં ઉતાવળમાં પાસ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: નીતીશ કુમારે ઉદ્યોગપતિઓને ગોબર અને ગૌમુત્રના ફાયદા ગણાવ્યા

બિલને સંસદમાં ઉતાવળમાં લાવવામાં આવ્યું
જદયુ નેતા અને બિહાર પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહ ઘ્વારા કહેવામાં આવ્યું કે જે રીતે આ બિલને સંસદમાં ઉતાવળમાં લાવવામાં આવ્યું છે તેનાથી બચવાની જરૂર હતી. આ બિલને સંસદમાં લાવતા પહેલા તેના પર વધારે ચર્ચા કરવાની જરૂર હતી. જો આ બિલ રાજ્યસભામાં લાવવામાં આવ્યું તો તેઓ આ બિલનો વિરોધ કરશે અને સરકાર વિરુદ્ધ વોટ આપશે. જે રીતે જદયુ ઘ્વારા સરકારના ટ્રિપલ તલાક બિલનો ખુલ્લો વિરોધ કર્યો છે તેના કારણે ભાજપની મુસીબત વધી ચુકી છે.

ટ્રિપલ તલાક બિલ
જદયુ ઘ્વારા જે રીતે ટ્રિપલ તલાક બિલ પર સખત અભિપ્રાય આપવામાં આવ્યો છે તેના કારણે બિહારમાં ભાજપ-જદયુ ગઠબંધન શર્મસાર થયું છે. જદયુ નેતા ઘ્વારા આપવામાં આવેલા આ નિવેદન પછી ભાજપ નેતાઓ કઈ પણ કહેવા તૈયાર નથી.

બિહારમાં 17 ટકા મુસ્લિમ વસ્તી
રાજનૈતિક વિશ્લેષકો અનુસાર જદયુ ટ્રિપલ તલાક બિલ પર ભાજપનો સહકાર ક્યારેય પણ નહીં આપી શકે, જેનું સૌથું મોટું કારણ છે કે બિહારમાં 17 ટકા મુસ્લિમ વસ્તી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા જદયુ ઘ્વારા સાફ સાફ કહેવામાં આવ્યું હતું કે તેઓ રામ મંદિર મુદ્દે પણ ભાજપનો સાથ નહીં આપી શકે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?





Click it and Unblock the Notifications
