નીતીશ કુમારે ઉદ્યોગપતિઓને ગોબર અને ગૌમુત્રના ફાયદા ગણાવ્યા
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જૈવિક ખાતર અને કીટનાશક બનાવવા માટે ગૌશાળા સ્થાપિત કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જૈવિક ખાતર અને કીટનાશક બનાવવા માટે ગૌશાળા સ્થાપિત કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો છે. સીએમ નીતીશ કુમારે પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ માટે ચાલી રહેલી બેઠકમાં ગાયના મૂત્ર અને ગોબરના ફાયદા ગણાવ્યા. ટેલીગ્રાફમાં છપાયેલી એક ખબર અનુસાર નીતીશ કુમાર પોતાના ભાષણમાં ઉદ્યોગપતિઓ પાસે ગૌશાળા બનાવવા માટે મદદ માંગી રહ્યા હતા.
આ પણ વાંચો: નીતીશ-ભાજપ વચ્ચે 2019 ચૂંટણી અંગે થઇ ડીલ, આ છે નવો ફોર્મ્યુલા

ગૌશાળા બનાવવા મદદનો અનુરોધ
નીતીશ કુમારની વાત સાંભળીને બેઠકમાં આવેલા ઉદ્યોગપતિઓ ચોકી ઉઠ્યા. ઉદ્યોગપતિઓ સમજી શક્યા નહીં કે સીએમ સાચે જ આવું કહી રહ્યા છે. સોમવારે સચિવાલયમાં એક બંધ રૂમમાં ઉદ્યોગપતિઓ સાથે થયેલી એક બેઠક માં સીએમ નીતીશ કુમારે કહ્યું કે ગાય દૂધના ઉત્પાદન માટે ફાયદાકારક છે. તેની સાથે સાથે તેનું ગોબર અને મૂત્ર જૈવિક ખાતર અને કીટનાશક તરીકે પણ ઉપયોગી છે. હું રાજ્યમાં ગૌશાળા બનાવવાનો અનુરોધ કરું છું.

નીતીશ કુમારના પટના આવાસ પર 8 ગાયો
આપને જણાવી દઈએ કે નીતીશ કુમારનો પશુપાલન તરફ ઝુકાવ છે. તેમના પટના આવાસ પર 8 ગાયો અને 6 વાછરડા છે. કેટલાક ઉદ્યોગપતિઓએ માન્યું કે નીતીશ કુમારે ગૌશાળા વાળી વાત પુરી ઈમાનદારી અને ગંભીરતા સાથે કરી.

મજાકમાં અગત્યનું નિવેદન આપવામાં માહિર છે નીતીશ કુમાર
બિહાર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન અધ્યક્ષ કે.પી.એસ.કેસરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નીતીશ સીધા ચહેરા સાથે મજાકમાં નિવેદન આપવામાં માહેર છે. તેમને એવું પણ જણાવ્યું કે ગોબર અને મૂત્ર ઘ્વારા તૈયાર ખાતર અને કીટનાશક ઘ્વારા વધારે આવક થઇ શકે છે કારણકે આખી દુનિયા જૈવિક ખેતી પર ધ્યાન આપી રહી છે. આ બેઠકમાં બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ કુમાર મોદી, ઉદ્યોગ મંત્રી જય કુમાર સિંહ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, અલગ અલગ વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
