Bihar cabinet: નીતીશ મંત્રીમંડળનો આજે થશે વિસ્તાર, શાહનવાઝ હુસેન સહિત આ બધાને મળી શકે છે જગ્યા
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવા જઈ રહ્યા છે.
Nitish Kumar to expand Bihar cabinet today: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજે એટલે કે મંગળવાર(9 ફેબ્રુઆરી)એ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવા જઈ રહ્યા છે. બિહાર સીએમ કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. સીએમ ઑફિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે મંગળવારે મંત્રીમંડળ વિસ્તાર માટે શપથ ગ્રહણ સમારંભ બપોરે 12.30 વાગે આયોજિત કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે આજે મંત્રીમંડળના વિસ્તારમાં 9 ભાજપના અને 8 જેડીયુના નેતા મંત્રીપદની શપથ લેશે. આ વિસ્તારમાં પહેલા કેન્દ્રીય મંત્રી રહેલા શાહનવાઝ હુસેન બિહારમાં મંત્રીપદના શપથ લેશે. વિકસીલ ઈંસાં પાર્ટીના મુકેશ સાહનીનુ નામ પણ આ કેબિનેટ વિસ્તારમાં નામ છે. બિહારમાં હાલમાં 243 ધારાસભ્યોના ગૃહમાં મુખ્યમંત્રી સહિત 15 મંત્રી છે. બિહાર કેબિનેટમાં 36 મંત્રી હોઈ શકે છે.

ભાજપ અને જેડીયુના આ નેતાઓને આજે મળી શકે છે કેબિનેટમાં જગ્યા
આજના બિહાર કેબિનેટ વિસ્તારમાં ભાજપથી સંભવિત નામોની વાત કરીએ તો શાહનવાઝ હુસેન ઉપરાંત પૂર્વ સાંસદ રહેલા જનક ચમાર, સુભાષ સિંહ, નિતિન નવીન, કૃષ્ણા કુમાર ઋષિ, સંજય સરવગી, નીરજ બબલુ, પ્રમોદ કુમાર અને ભાગીરથી દેવીના નામ શામેલ છે. વળી, જેડીયુની વાત કરીએ તો શ્રવણ કુમાર, લેસી સિંહ, સંજય ઝા, સુનીલ કુમાર અને જામા ખાનનુ નામ ચર્ચામાં છે. જામા ખાન હાલમાં જ બસપામાં જેડીયુમાં શામેલ થયા છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે આ કેબિનેટ વિસ્તારમાં વીઆઈપી કે જીતનરામ માંઝીની પાર્ટીના કોઈ સભ્યને મંત્રીપદની જગ્યા મળવાની નથી. નીતીશ મંત્રીમંડળમાં હજુ વધુ 23 મંત્રી બનાવવામાં આવી શકે છે.
વર્તમાન બિહાર કેબિનેટની સ્થિતિ
16 નવેમ્બર, જનતા દળ(યુનાઈટેડ)ના પ્રમુખ નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતીશ કુમાર સતત ચોથી વાર અને કુલ સાતમી વાર મુખ્યમંત્રી બન્યા છે. નીતીશ કુમાર સાથે મંત્રી પરિષદના 14 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. વર્તમાનમાં નીતીશ મંત્રીમંડળમાં ભાજપના 7, જેડીયુના 4, હિંદુસ્તાની આવામ મોરચાના 1 અને વીઆઈપીના એક ધારાસભ્ય મંત્રી છે. બિહારમાં એનડીએની સરકાર છે. જેમાં જનતા દળ(યુનાઈટેડ) (જેડીયુ), ભારતીય જનતા પાર્ટી(ભાજપ), વિકાસસેલ ઈંસાં પાર્ટી(વીઆઈપી) અને હિંદુસ્તાની આવામ મોરચા(એચએએમ) શામેલ છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
