મુઝફ્ફરપુરમાં સ્નેક્સ ફેક્ટરીમાં લાગી આગ, 4 લોકોનાં મોત, 7 લાપતા
મુઝફ્ફરપુરમાં સ્નેક્સ ફેક્ટરીમાં લાગી આગ, 4 લોકોનાં મોત
મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ચકનૂરન વિસ્તારમાં એક સ્નેક્સ ફેક્ટ્રીમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 લોકોનાં મોત થયાં છે. જ્યારે 7 લોકો લાપતા થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 10 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને નજીકના હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આગ લાગી તે સમયે પચાસથી વધુ લોકો અંદર હતા. મૃતકોની સંખ્યા વધી શકે છે.

મુઝફ્ફરપુર જિલ્લાધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ જે સમયે ફેક્ટરીમાં આગ લાગી તે સમયે ગેટ બંધ હતો. જેને પગલે કર્મચારીઓ ફેક્ટરીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણકારી આપી છે. ઘટના સ્થળે પહોંચેલ પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ફેક્ટરીમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો- સબસિડી વિનાના ગેસ સિલિન્ડર થયા 120 રૂપિયા સસ્તા
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
