મુઝફ્ફરપુરમાં સ્નેક્સ ફેક્ટરીમાં લાગી આગ, 4 લોકોનાં મોત, 7 લાપતા
મુઝફ્ફરપુરમાં સ્નેક્સ ફેક્ટરીમાં લાગી આગ, 4 લોકોનાં મોત
મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ચકનૂરન વિસ્તારમાં એક સ્નેક્સ ફેક્ટ્રીમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 લોકોનાં મોત થયાં છે. જ્યારે 7 લોકો લાપતા થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 10 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને નજીકના હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આગ લાગી તે સમયે પચાસથી વધુ લોકો અંદર હતા. મૃતકોની સંખ્યા વધી શકે છે.

મુઝફ્ફરપુર જિલ્લાધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ જે સમયે ફેક્ટરીમાં આગ લાગી તે સમયે ગેટ બંધ હતો. જેને પગલે કર્મચારીઓ ફેક્ટરીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણકારી આપી છે. ઘટના સ્થળે પહોંચેલ પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ફેક્ટરીમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો- સબસિડી વિનાના ગેસ સિલિન્ડર થયા 120 રૂપિયા સસ્તા












Click it and Unblock the Notifications
