Bihar SIR : બિહારમાં બબાલ વચ્ચે ECI નો મોટો નિર્ણય, હવે સમગ્ર દેશમાં મતદાર યાદીમાં સુધારા કરાશે
Bihar SIR : બિહારમાં ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં ખાસ સુધારાને લઈને શરૂ થયેલુ રાજકીય ઘમાસાણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યુ. આ બબાલ વચ્ચે ભારતીય ચૂંટણી પંચે હવે સમગ્ર દેશમાં આ વિશેષ સુધારણા અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ECI એ ૨૪ જૂનના પોતાના આદેશમાં જણાવ્યું છે કે મતદાર યાદીને સુરક્ષિત રાખવા અને બંધારણના નિયમોનું પાલન કરવા માટે હવે સમગ્ર દેશમાં SIR શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના અન્ય ભાગો માટે પણ ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે સમયાંતરે તેનું પુનરાવર્તન કરવું અત્યંત જરૂરી છે. આનાથી યાદીમાં સામેલ અયોગ્ય વ્યક્તિઓને દૂર કરી શકાય અને ચૂંટણીની પવિત્રતા જાળવી શકાય છે. ECI એ તાજેતરમાં SIR સામે થઈ રહેલા વિરોધનો જવાબ આપતા તેનું મહત્વ સમજાવ્યું.
ચૂંટણી પંચે જણાવ્યું કે ભારતનું બંધારણ ભારતીય લોકશાહીની જનની છે. શું આ વાતોથી ડરીને ચૂંટણી પંચે કેટલાક લોકોના ભ્રામક પ્રચારમાં આવીને અને બંધારણ વિરુદ્ધ જઈને નકલી મતો પર આંખ આડા કાન કરવા જોઈએ?
પંચે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, પહેલા બિહારમાં અને પછી આખા દેશમાં, મૃત્યુ પામેલા મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા મતદારો બે જગ્યાએ નામ નોંધાવનાર મતદારો અને વિદેશી મતદારોના નામે નકલી મતો પડવા દેવામાં આવશે નહીં.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
