Bihar SIR : બિહારમાં બબાલ વચ્ચે ECI નો મોટો નિર્ણય, હવે સમગ્ર દેશમાં મતદાર યાદીમાં સુધારા કરાશે
Bihar SIR : બિહારમાં ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં ખાસ સુધારાને લઈને શરૂ થયેલુ રાજકીય ઘમાસાણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યુ. આ બબાલ વચ્ચે ભારતીય ચૂંટણી પંચે હવે સમગ્ર દેશમાં આ વિશેષ સુધારણા અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ECI એ ૨૪ જૂનના પોતાના આદેશમાં જણાવ્યું છે કે મતદાર યાદીને સુરક્ષિત રાખવા અને બંધારણના નિયમોનું પાલન કરવા માટે હવે સમગ્ર દેશમાં SIR શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના અન્ય ભાગો માટે પણ ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે સમયાંતરે તેનું પુનરાવર્તન કરવું અત્યંત જરૂરી છે. આનાથી યાદીમાં સામેલ અયોગ્ય વ્યક્તિઓને દૂર કરી શકાય અને ચૂંટણીની પવિત્રતા જાળવી શકાય છે. ECI એ તાજેતરમાં SIR સામે થઈ રહેલા વિરોધનો જવાબ આપતા તેનું મહત્વ સમજાવ્યું.
ચૂંટણી પંચે જણાવ્યું કે ભારતનું બંધારણ ભારતીય લોકશાહીની જનની છે. શું આ વાતોથી ડરીને ચૂંટણી પંચે કેટલાક લોકોના ભ્રામક પ્રચારમાં આવીને અને બંધારણ વિરુદ્ધ જઈને નકલી મતો પર આંખ આડા કાન કરવા જોઈએ?
પંચે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, પહેલા બિહારમાં અને પછી આખા દેશમાં, મૃત્યુ પામેલા મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા મતદારો બે જગ્યાએ નામ નોંધાવનાર મતદારો અને વિદેશી મતદારોના નામે નકલી મતો પડવા દેવામાં આવશે નહીં.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
