Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bihar SIR : બિહારમાં બબાલ વચ્ચે ECI નો મોટો નિર્ણય, હવે સમગ્ર દેશમાં મતદાર યાદીમાં સુધારા કરાશે

Bihar SIR : બિહારમાં ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં ખાસ સુધારાને લઈને શરૂ થયેલુ રાજકીય ઘમાસાણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યુ. આ બબાલ વચ્ચે ભારતીય ચૂંટણી પંચે હવે સમગ્ર દેશમાં આ વિશેષ સુધારણા અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ECI એ ૨૪ જૂનના પોતાના આદેશમાં જણાવ્યું છે કે મતદાર યાદીને સુરક્ષિત રાખવા અને બંધારણના નિયમોનું પાલન કરવા માટે હવે સમગ્ર દેશમાં SIR શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના અન્ય ભાગો માટે પણ ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

Bihar SIR

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે સમયાંતરે તેનું પુનરાવર્તન કરવું અત્યંત જરૂરી છે. આનાથી યાદીમાં સામેલ અયોગ્ય વ્યક્તિઓને દૂર કરી શકાય અને ચૂંટણીની પવિત્રતા જાળવી શકાય છે. ECI એ તાજેતરમાં SIR સામે થઈ રહેલા વિરોધનો જવાબ આપતા તેનું મહત્વ સમજાવ્યું.

ચૂંટણી પંચે જણાવ્યું કે ભારતનું બંધારણ ભારતીય લોકશાહીની જનની છે. શું આ વાતોથી ડરીને ચૂંટણી પંચે કેટલાક લોકોના ભ્રામક પ્રચારમાં આવીને અને બંધારણ વિરુદ્ધ જઈને નકલી મતો પર આંખ આડા કાન કરવા જોઈએ?

પંચે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, પહેલા બિહારમાં અને પછી આખા દેશમાં, મૃત્યુ પામેલા મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા મતદારો બે જગ્યાએ નામ નોંધાવનાર મતદારો અને વિદેશી મતદારોના નામે નકલી મતો પડવા દેવામાં આવશે નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X