નેતાજી શુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિને દર વર્ષે પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવામાં આવશે
નેતાજી શુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિને દર વર્ષે પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવામાં આવશે
Parakram Diwas: મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફૌઝના સંસ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને લઈ ભારત સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. સંસ્કૃતિ મંત્રાલયે ઘોષણા કરી છે કે ભારત સરકારે હર વર્ષે 23 જાન્યુઆરીને નેતાજી શુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસના રૂપમાં મનાવવાનો ફેસલો લીધો છે. એટલે કે હવે દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસના રૂપમાં નેતાજી શુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને ભારત સરકાર ઉજવશે. આગામી 23 જાન્યુઆરીએ નેતાજીની 125મી જન્મ જયંતિ છે. જેને મોદી સરકારે ભવ્ય રૂપે મનાવવાનો ફેસલો લીધો છે. જેને લઈ એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે, જેની આગેવાની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે જોડાયેલા કાર્યક્રમની શરૂઆત 23 જાન્યુઆરીએ તેમની જયંતિથી થશે. કાર્યક્રમનું આયોજન આખા વર્ષ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના 125મા જયંતિ સમારોહની શરૂઆત 23 જાન્યુઆરીએ કોલકાતના ઐતિહાસિક વિક્ટોરિયા મેમોરિયલ હૉલથી કરી શકે છે.
અગાઉ જાન્યુઆરીમાં પીએમ મોદીએ ઘોષણા કરી હતી કે કેન્દ્રએ નેતાજીની 125મી જયંતિ પર 23 જાન્યુઆરી 2021થી શરૂ થનાર વર્ષભરની ગતિવિધિઓ પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા હતા. નિષ્ણાંતો, ઈતિહાસકારો, લેખકો, નેતાજી અને આઈએનએ સહયોગિઓના પરિવારના સભ્યોએ નક્કી કરવાનું હતું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીના યોગદાનને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
