ભાજપે નીતિશની શરત મંજૂર રાખી, નરેન્દ્ર મોદી બિહાર જશે નહી

nitish-kumar-modi
નવી દિલ્હી, 17 ઑક્ટોબર: ભાજપના ફાયર બ્રાન્ડ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બિહારમાં નો એન્ટ્રી યથાવત રહશે. રાજ્યમાં ભાજપ-જેડીયૂ ગઠબંધન ચાલુ રાખવા નીતિશ કુમારની શરતને મંજૂર સ્વિકારી લીધી છે. ત્યારબાદ નીતિશ કુમારે એલાન કરી છે કે આવનાર સામાન્ય ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડશે. આ રાજકીય અભિયાન એવા સ્થાને પહોંચ્યું છે જ્યારે ઇગ્લેંડ અને અમેરિકા જેવા દેશોએ નરેન્દ્ર મોદીને પ્રવેશ માટે લીલી ઝંડી આપી દિધી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ત્રીજી તક છે કે નરેન્દ્ર મોદીને લઇને નીતિશની મુશ્કેલીનો ભાજપે સ્વિકાર કરવો પડ્યો છે.

બિહાર વિધાનસભાની ગત ચૂંટણી દરમિયાન નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને બિહારમાં પ્રચાર ન કરવાની શરત રાખી હતી જેને ભાજપે સ્વિકારી લીધી હતી. બીજી તક મોદીના વડાપ્રધાન પદના દાવેદારને લઇને હતી. ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીએ નીતિશ કુમારને આશ્વાસન આપ્યું છે કે વડાપ્રધાન પદના ઉમેદવાર એનડીએની સહમતિથી નક્કી કરવામાં આવશે. ત્રીજી તક એવા સમયે આવી છે કે જ્યારે નરેન્દ્ર મોદીને બિહાર ભાજપના કાર્યક્રમમાં બોલાવવાની તૈયારીને લઇને વિવાદ શરૂ થયો.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડૉ. સીપી ઠાકોરે કહ્યું હતું કે નવેમ્બરમાં પાર્ટીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી હાજરી આપશે. ત્યારબાદ જેડીયૂએ ગઠબંધન તોડવાના સંકેત આપ્યા અને કહ્યું હતું કે જેડીયૂએ લોકસભાની ચૂંટણી માટે 40 ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપવાનું શરૂ કરી દિધું છે. ભાજપે પણ પટલવાર કરતાં 40 સીટો પર ચૂંટણી લડવાની વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X