ઉન્નાવ રેપ કેસમાં હવે જાગ્યુ ભાજપ, કુલદીપ સેંગરને પાર્ટીમાંથી કાઢ્યા
ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિશે થઈ રહેલા હોબાળા વચ્ચે ભાજપે મોટી કાર્યવાહી કરી છે.
ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિશે થઈ રહેલા હોબાળા વચ્ચે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી કાઢી દીધા છે. આ પહેલા યુપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કહ્યુ હતુ કે કુલદીપ સિંહ સેંગર સસ્પેન્ડ છે અને તે સસ્પેન્ડ જ રહેશે. રેપના આરોપી કુલદીપ સિંહ સેંગર એક વર્ષથી જેલમાં બંધ છે.
રેપના આરોપી ધારાસભ્યને ભાજપે પાર્ટીમાંથી કાઢ્યા
રેપ કેસના આરોપોથી ઘેરાયેલો કુલદીપ સિંહ સેંગર માટે પાર્ટી ઘણી ફજેતી થઈ રહી હતી અને રાજકીય પક્ષો તરફથી પણ દબાણ કરવામાં આવી રહ્યુ હતુ. ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડન્ટ બાદ પરિવારજનોએ કુલદીપ સિંહ સેંગર પર આરોપ લગાવ્યા હતા અને કહ્યુ હતુ કે તેમના લોકો વારંવાર કેસ પાછો લેવા અને સમાધાન કરવાની ધમકી આપતા હતા. પરિવારે સુપ્રીમ કોર્ટના સીજેઆઈને પણ આ મામલે પત્ર લખ્યો હતો જેના પર આજે સુનાવણી થઈ રહી છે. વળી, યુપી સરકારની ભલામણ બાદ એક્સિડન્ટની તપાસ પણ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે.
પહેલા કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ
આ પહેલા યુપીના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યુ હતુ કે કુલદીપ સિંહ સેંગરને પહેલા પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમનુ સસ્પેન્શન ચાલુ રહેશે. કાયદો પોતાનુ કામ કરશે, આ કેસની તપાસ સીબીઆઈના હાથોમાં છે. તેમણે કહ્યુ હતુ કે યુપી સરકાર પીડિતાના પરિવાર સાથે છે. વિપક્ષને નિશાના પર લેતા યુપી ભાજપના અધ્યક્ષે કહ્યુ હતુ કે તેમની પાસે કઈ મુદ્દો નથી એટલા માટે આ કેસમાં રાજનીતિ કરી રહ્યા છે. યુપી ભાજપના અધ્યક્ષે કહ્યુ હતુ તે આ કેસમાં ભાજપ ખૂબ સંવેદનશીલ છે.
પીડિતાની આત્મહત્યાની કોશિશ બાદ સામે આવ્યો હતો કેસ
પીડિતાએ વર્ષ 2017માં બાંગરમઉથી ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાના સીએમ યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની બહાર આત્મહત્યાની કોશિશ કર્યા બાદ આ કેસ પ્રકાશમાં આવ્યો હતો ત્યારબાદ ભાજપ ધારાસભ્યને પકડી લેવામાં આવ્યા હતા. પીડિતા અને તેના પરિવાર સાથે રવિવારે થયેલ રોડ અકસ્માતમાં પણ સેંગર સામે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુષ્મિતા સેનના લગ્ન વિશે આવ્યા સમાચાર, બૉયફ્રેન્ડ સાથે નવેમ્બરમાં કરશે લગ્ન