'દિલ્હીનું એક મંદિર તોડવાનો આદેશ ભાજપે આપ્યો હતો', AAPએ સબૂત દેખાડ્યાં
આખા દેશમાં જ્યાં એક તરફ દિલ્હીના જહાંગીરપુરીમાં એમસીડીના અતિક્રમણ વિરોધ અભિયાનનો મામલે હજી ઠંડો પણ નથી થયો કે રાજસ્થાનના અલવરમાં 300 વર્ષ જૂનું મંદિર તોડવાનો વિવાદ ચર્ચામાં આવી ગયો છે. અલવરના રાજગઢ કસ્બામાં મંદિરને અતિક્રમણ અંતર્ગત તોડી નાખવામાં આવ્યું, જે બાદ ભાજપની ગેહલોત સરકાર પર પ્રહારો થઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ એક પત્રને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં દિલ્હીના એક મંદિરને તોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અલવરના રાજગઢમાં 300 વર્ષ જૂના મંદિરને તોડવાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર શેર કર્યો છે, જેમાં દિલ્હીના શ્રીનિવાસપુરી વિસ્તારમાં એક મંદિર તોડી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. લેટરમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પ્રાધિકરણ વિના ધાર્મિક સંરચના સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હતું. પત્રમાં આદેશ આપવામાં આવ્યો હતો કે 7 દિવસમાં જમીન ખાલી કરવી પડશે, આવું ના કરવા પર મંદિર ધ્વસ્ત કરી દેવામાં આવશે.
જ્યારે રાજગઢના મંદિરને તોડવાની કાર્યવાહી પર અલવર કલેક્ટર મુજબ મંદિર તોડવાનો ફેસલો સામાન્ય સહમતી બન્યા બાદ લેવામાં આવ્યો. અલવર જિલ્લા કલેક્ટર નકાતે શિવપ્રસાદ મદને કહ્યું કે તમામને વ્યક્તિગત રૂપે 6 એપ્રિલે નોટિસ આપી દેવામાં આવી હતી અને અતિક્રમણ વિરોધી અભિયાનથી બે દિવસ પહેલાં એક ઘોષણા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે અતિક્રમણ વિરોધી અભિયાન 17 એપ્રિલ અને 18 એપ્રિલે ચલાવવામાં આવ્યું હતું. ડીએમે કહ્યું કે કોઈ કાનૂની ઢાંચો તોડવામાં નથી આવ્યો અને વિધ્વંસ અભિયાન દરમિયાન કોઈ વિરોધ નથી થયો.
भाजपा की केंद्र सरकार ने दिया श्रीनिवासपुरी स्थित नीलकंठ महादेव मंदिर पर बुल्डोज़र चलाने का आदेश pic.twitter.com/mEiTiCJXQu
— Atishi (@AtishiAAP) April 23, 2022
સર્વ સહમતીથી મંદિર હટાવ્યું
અલવર એડીએમ સુનીતા પંકજ મુજબ રાજગઢ નગર પાલિકાએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવ લઈને આવી હતી, જેનું ક્રિયાન્વયન 17 એપ્રિલે કરવામાં આવ્યું હતું. લોકોને પહેલે જ સૂચિત કરી દેવામાં આવ્યા હતા કે આ મંદિર હટાવી દેવામાં આવશે, ત્યારથી લઈ અત્યાર સુધી સ્થાનિક લોકો તરફથી અમને વિરોધ કરવાનું એકેય આવેદન નથી મળ્યું. તેમણે કહ્યું કે 3 મંદિર હતા. પ્રશાસને લોકો પાસેથી સર્વસંમતિ લઈ મૂર્તિઓ હટાવી. નગરપાલિકા દ્વારા લોકોની સર્વ સહમતીથી નિર્વિવાદ સ્થળે મંદિર બનશે.