BJPને મળી શકે છે 272 બેઠકોઃ જેટલી

Google Oneindia Gujarati News

અમૃતસર, 8 એપ્રિલઃ અમૃતસર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણ જેટલીએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીને લોકસભા ચૂંટણીમાં 272 બેઠકો મળી શકે છે. જેટલી સાથે પૂછવામાં આવ્યું કે જો ભાજપને બહુમત નહીં મળે તો શું તેમની પાસે વડાપ્રધાન પદના ઉમેદવાર બદલવાની કોઇ યોજના છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, હું નથી વિચારતો કે આ પ્રકારની સ્થિતિ આવી રહી છે અને અમે પણ આ અંગે વિચારતા નથી. તેઓ અહીં ઉમેદવારી પત્ર દાખલ કરવા આવ્યા હતા, ત્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા.

Arun-Jaitley-lok-sabha
આમ આદમી પાર્ટી અંગે તેમણે કહ્યું કે, ‘આપ'એ પહેલા દાવો કર્યો હતો કે તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે, પરંતુ બાદમાં સાબિત થઇ ગયું કે તે મોદી વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટીનો સારો સમય વિતી ગયો છે. તેમણે અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અંગેની વાતની ટીકા કરતા કહ્યું કે, અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ થવાથી કાયદાના કોઇપણ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું છે. જેટલીએ વર્તમાન સરકાર અથવા વિપક્ષની નિષ્ક્રિયતાના કારણે તેમની વિરુદ્ધ બદલો લેવાની મતદાતાઓને અપીલ સામાન્ય રીતે કરવામાં આવે છે. જે સંદર્ભમાં ભાષણ આપવામાં આવ્યું છે, તેનું વિશ્લેષણ કરવામાં આવે. આ ભાષણાં શાહે મતદાતાઓને કોઇની વિરુદ્ધ મત આપવા અને અન્યાયનો બદલો લેવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું કે, મને આશ્ચર્ય છેકે આ ભાષણ કાયદાના કયા પ્રાવધાનનું ઉલંઘન કરે છે કારણ કે આ તો માત્ર મત માટે અપીલ છે. અમૃતસર માટે એજેન્ડા અંગે પૂછતા જેટલીએ કહ્યું કે જ્યારે હું રાષ્ટ્રીય મુદ્દાઓ પર બોલું છું તો એ હંમેશા મારા ચૂંટણી ક્ષેત્ર સાથે જોડાયેલા સ્થાનિક મુદ્દાઓ અનુસાર છું.

English summary
BJP candidate from Amritsar seat Arun Jaitely today claimed that his party may get 272 seats in the Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X