BJP MLA સુરેન્દ્ર સિંહનો અખિલેશને પડકાર, કહ્યું - મારી સામે ચૂંટણી લડો, 1 લાખ વોટથી હરાવીશ
ભારતીય જનતા પાર્ટીના બૈરિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અવારનવાર પોતાના નિવેદનોને લઈને મીડિયાની હેડલાઈન્સમાં રહે છે. તાજેતરના નિવેદનને કારણે બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ફરી ચર્ચામાં આવ્યા છે.
બલિયા : ભારતીય જનતા પાર્ટીના બૈરિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અવારનવાર પોતાના નિવેદનોને લઈને મીડિયાની હેડલાઈન્સમાં રહે છે. તાજેતરના નિવેદનને કારણે બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ફરી ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં સુરેન્દ્ર સિંહે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવને તેમના વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર આપ્યો છે.
સુરેન્દ્ર સિંહે કહ્યું કે, જો SP ચીફ બૈરિયા સીટ પરથી 2022ની વિધાનસભા ચૂંટણી લડશે, તો તેઓ તેમને એક લાખ વોટથી હરાવી દેશે. જો તેઓ ચૂંટણીમાં અખિલેશ યાદવને હરાવી નહીં શકે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. આ દરમિયાન બીજેપી ધારાસભ્યએ ખેડૂત નેતા અને BKUના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને પણ આડે હાથ લીધા હતા. ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું કે, રાકેશ ટિકૈત ખેડૂત નેતા નથી, તે શુદ્ધ ડાકુ છે.
રાકેશ ટિકૈત ખેડૂત નેતા નથી, તે શુદ્ધ ડાકુ છે
ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જિલ્લા મુખ્યાલય પર ભારતીય જનતા કિસાન મોરચા દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલી દરમિયાન પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
જ્યારેભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહને મીડિયા દ્વારા ધરણા પર બેઠેલા ખેડૂત નેતા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જવાબ આપતા કહ્યું કે, હકીકતમાં તેઓ ખેડૂતનેતા નથી, રાકેશ ટિકૈત શુદ્ધ ડાકુ છે, બિઝનેસમેન છે, જુલમી વેપારી છે. જે છ પેટ્રોલ પંપ ચલાવે છે, તેમ છતાં કહે છે કે, તે એક ખેડૂત છે.
ટિકૈત 'ફંડિંગ'ના કારણે જ રાજનીતિ કરી રહ્યા છે
રાકેશ ટિકૈત ખેડૂત નથી, ખેડૂતના નામે સોદાબાજી કરવી એ તો બેઈમાની છે અને જે બેઈમાન આવી સોદાબાજી કરે છે, તેની નિંદા થવી જોઈએ. એટલું જ નહીં સુરેન્દ્રસિંહે આરોપ લગાવ્યો કે, ટિકૈત માત્ર 'ફંડિંગ'ના કારણે રાજનીતિ કરી રહ્યા છે.
બીજેપી નેતાએ આરોપ લગાવ્યો કે, તેણે સપા અને કોંગ્રેસના ઈશારે ખેડૂતોને વિરોધ માટેતૈયાર કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ કાયદાને પાછો ખેંચી લીધા બાદ હવે ખેડૂતોના આંદોલન કરવા પાછળ શું તર્ક છે.
મોદી આખી દુનિયાને પોતાનો પરિવાર માને છે
ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, લોકોની ભાવનાઓને માન આપતાં સંસદે પણ મંગળવારના રોજ આ કાયદાઓને પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.
તેમણેકહ્યું કે, અખિલેશ યાદવ અને રાકેશ ટિકૈત ઈમાનદાર નથી. તેઓ પીએમ મોદી અને સીએમ યોગીની સામે ક્યાંય ટકી શકતા નથી. મોદી આખી દુનિયાને પોતાનોપરિવાર માને છે.
બીજી તરફ અખિલેશ યાદવ માટે પોતાનો પરિવાર જ તેમની દુનિયા છે. જે પોતાના પરિવારને દુનિયા માને છે તે પ્રામાણિક ન હોય શકે.