મોદી મુદ્દે ભાજપ અડગ, અડવાણી આપશે રાજીનામું?
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ નરેન્દ્ર મોદીના નામ પર ભાજપના વરિષ્ઠ નેતાઓ એલકે અડવાણી અને સુષમા સ્વરાજને અવગણીને પક્ષે એક સુરમાં નમો, નમો જપવાનો નિર્ણય કર્યો છે. ભાજપ પોતાનું ટ્રમ્પ કાર્ડ ખોલવા જઇ રહ્યું છે. પક્ષે લોકસભા ચૂંટણી 2014 માટે પોતના પીએમ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવાની સૂંપર્ણ તૈયારી કરી લીધી છે. મોદી માટે મંચ સજાવી દેવામાં આવ્યું છે. વિરોધોની વચ્ચે મોદીનું નામનું બ્યુગલ બસ ફુંકવાની વાર છે. આજે સાંજે 5 વાગ્યે સંસદીય બોર્ડની બેઠકમાં મોદીના નામની ઔપચારિક જાહેરાત નક્કી છે, પરંતુ આ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીનું શું? મોદીના વિરોધમાં ઉભા રહેલા અડવાણી અને સુષમા સ્વરાજે સ્પષ્ટ કર્યુ છે કે, તેઓ પક્ષની સંસદીય બોર્ડની બેઠકમાં પોતાની વાત રજૂ કરશે. પછી પક્ષ તેને માને કે ના માને.
ભાજપ જાણે છે કે તેમની ડૂબતી નાવડીને કોણ પાર લગાવી શકે છે અને એ મોદી છે. તેવામાં પક્ષ કેટલાક નેતાઓને નજરઅંદાજ કરીને મોદીની તાજપોશી કરી તેમને પોતાના તારણહાર બનાવી રહ્યાં છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે સંસદીય બોર્ડના સભ્યોના તમામ કાર્યક્રમને રદ કરીને દિલ્હી પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે.
ભાજપના
વરિષ્ઠ
નેતા
એલકે
અડવાણી
મોદીની
ઉમેદવારીના
વિરોધમાં
છે
અને
માનવામાં
આવી
રહ્યું
છે
કે,
સંસદીય
બોર્ડની
બેઠકમાં
સામેલ
નહીં
થાય.
આ
પહેલા
પણ
ગોવામાં
ભાજપની
રાષ્ટ્રીય
કાર્યકારિણીની
બેઠકમાં
અડવાણી
સામેલ
થયા
નહોતા
અને
તેમની
અનઉપસ્થિતિમાં
મોદીને
ચૂંટણી
પ્રચાર
સમિતિના
પ્રમુખ
નિયુક્ત
કરવામાં
આવ્યા
હતા.
તેવામાં
ફરીથી
એકવાર
એ
સંભાવનાઓ
ઉભી
થઇ
છે
કે,
શું
આ
વખતે
પણ
તેમની
અનદેખી
કરવામાં
આવતા
તેઓ
રાજીનામું
આપી
દેશે?
મોદી વિરોધી ટૂકડીની ત્રણ શરતો
મોદી
પક્ષના
પીએમ
પદના
ઉમેદવાર
બનતાની
સાથે
જ
મુખ્યમંત્રી
પદ
છોડે
મોદીની
તાજપોશી
બાદ
ચૂંટણી
પ્રચાર
સમિતિના
પદ
પરથી
રાજીનામું
આપે
અડવાણીની
શરતો
પર
વિચાર
કરે