ખેડૂતો પર અત્યાચારમાં ભાજપે અંગ્રેજોને પણ પાછળ છોડ્યાઃ કેજરીવાલ
ખેડૂતો પર અત્યાચારમાં ભાજપે અંગ્રેજોને પણ પાછળ છોડ્યાઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. ખેડૂતો પર લાઠીઓ વરસાવી રહી છે, ભાજપે અંગ્રેજોને પાછળ છોડી દીધા છે. અંગ્રેજ સરકારે ખેડૂતો પર જેટલા અત્યાચાર નહોતા થયા, ભાજપ તેનાથી પણ વધુ અત્યાચાર કરી રહ છે. આમ આદમી પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશના મેરઠમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલે આ વાત કહી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજ આપણા દેશના ખેડૂતો બહુ પીડામાં છે, 95 દિવસથી કડકડતી ઠંડીમાં ખેડૂત ભાઈ દિલ્હીની બોર્ડર પર બેઠા છે. 250થી વધુ શહીદ થઈ ચૂક્યા છે પરંતુ સરકારને કોઈ ફરક જ નથી પડતો. પાછલા 70 વર્ષમાં આ દેશના ખેડૂતોએ માત્ર દગો જ જોયો છે. ખેડૂતો 70 વર્ષથી પોતાની ઉપજનો યોગ્ય ભાવ માંગી રહ્યા છે. તમામના ચૂંટણી ઢંઢેરામાં લખેલું હશે કે અમે જીતશું તો ભાવ વધારશું. જો યોગ્ય ભાવ આપી દીધો હોત તો ખેડૂત આત્મહત્યા ના કરત.
કેજરીવાલે કહ્યું હતું કે અમે સ્વામીનાથન રિપોર્ટ લાગૂ કરશું. ખેડૂતોએ તેમને ખુબ વોટ આપ્યા. 3 વર્ષ બાદ ભાજપે સુપ્રીમ કોર્ટના એફિડેવિટમાં લખ્યું કે તેઓ MSP નહિ આપે. તેમણે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે. ભાજપ કહે છે કે એમએસપી નથી આપી શકાતી કેમ કે તેમાં 17 લાખ કરોડનો ખર્ચો આવશે. હું કહેવા માંગું છું કે ખેડૂતો તમારી પાસે મફતમાં એમએસપી નથી માંગી રહી, ખેડૂતો તમને પોતાની ઉપજ આપશે. સરકાર એ પાક વેચીને પૈસા તો કમાશે જ. કેન્દ્ર સરકાર ઈચ્છે તો 23ની 23 ફસલ એમએસપી પર ઉઠાવી શકે છે.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
