ખેડૂતો પર અત્યાચારમાં ભાજપે અંગ્રેજોને પણ પાછળ છોડ્યાઃ કેજરીવાલ

ખેડૂતો પર અત્યાચારમાં ભાજપે અંગ્રેજોને પણ પાછળ છોડ્યાઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. ખેડૂતો પર લાઠીઓ વરસાવી રહી છે, ભાજપે અંગ્રેજોને પાછળ છોડી દીધા છે. અંગ્રેજ સરકારે ખેડૂતો પર જેટલા અત્યાચાર નહોતા થયા, ભાજપ તેનાથી પણ વધુ અત્યાચાર કરી રહ છે. આમ આદમી પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશના મેરઠમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલે આ વાત કહી છે.

arvind kejariwal

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજ આપણા દેશના ખેડૂતો બહુ પીડામાં છે, 95 દિવસથી કડકડતી ઠંડીમાં ખેડૂત ભાઈ દિલ્હીની બોર્ડર પર બેઠા છે. 250થી વધુ શહીદ થઈ ચૂક્યા છે પરંતુ સરકારને કોઈ ફરક જ નથી પડતો. પાછલા 70 વર્ષમાં આ દેશના ખેડૂતોએ માત્ર દગો જ જોયો છે. ખેડૂતો 70 વર્ષથી પોતાની ઉપજનો યોગ્ય ભાવ માંગી રહ્યા છે. તમામના ચૂંટણી ઢંઢેરામાં લખેલું હશે કે અમે જીતશું તો ભાવ વધારશું. જો યોગ્ય ભાવ આપી દીધો હોત તો ખેડૂત આત્મહત્યા ના કરત.

કેજરીવાલે કહ્યું હતું કે અમે સ્વામીનાથન રિપોર્ટ લાગૂ કરશું. ખેડૂતોએ તેમને ખુબ વોટ આપ્યા. 3 વર્ષ બાદ ભાજપે સુપ્રીમ કોર્ટના એફિડેવિટમાં લખ્યું કે તેઓ MSP નહિ આપે. તેમણે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે. ભાજપ કહે છે કે એમએસપી નથી આપી શકાતી કેમ કે તેમાં 17 લાખ કરોડનો ખર્ચો આવશે. હું કહેવા માંગું છું કે ખેડૂતો તમારી પાસે મફતમાં એમએસપી નથી માંગી રહી, ખેડૂતો તમને પોતાની ઉપજ આપશે. સરકાર એ પાક વેચીને પૈસા તો કમાશે જ. કેન્દ્ર સરકાર ઈચ્છે તો 23ની 23 ફસલ એમએસપી પર ઉઠાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X