ભાજપ-સંધની બેઠક પૂર્ણ, PM પદ માટે મોદીના નામ અંગે નિર્ણય નહી
વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર કરવાના મુદ્દે રાજનાથ સિંહે કહ્યું હતું કે હાલમાં નરેન્દ્ર મોદીના નામ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમને કહ્યું હતું કે સંસદીય બોર્ડના નિર્માણ બાદ આ મુદ્દે વિચાર કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું હતું કે સંસદીય બોર્ડનું નિર્માણ અંગે નિર્ણય લેવાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય બોર્ડ વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ નક્કી કરવાનો નિર્ણય લેશે. નિતિન ગડકરીનું રાજીનામું અને રાજનાથ સિંહને નવા અધ્યક્ષ બનાવ્યા બાદ ભાજપની આ પહેલ મોટી અને મહત્વપૂર્ણ બેઠક છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડૂએ પણ કહ્યું હતું કે બેઠકમાં વડાપ્રધાન પદની ઉમેદવારી અંગે કોઇપણ પ્રકારની ચર્ચા થઇ રહી નથી. યોગ્ય સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પર વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી યોગ્ય નેતા છે અને ભાજપમાં યોગ્ય ઉમેદવારોની કમી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનાએ આજે કહ્યું હતું કે એનડીએ જલદી વડાપ્રધાન પદના ઉમેદવારના નામનું એલાન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં શિવસેના સુષ્મા સ્વરાજના નામને લઇને જીદે ચડ્યું હતું. પરંતુ હવે શિવસેનાએ સ્પષ્ટ કરી દિધું છે કે તે વિકલ્પ માટે તૈયાર છે.