કાળાનાણા : કેન્દ્રએ SITના પુનર્ગઠન માટે વધુ સમય માંગ્યો
નવી દિલ્હી, 22 મે : કેન્દ્ર સરકારે વિદેશમાં જમા થયેલા કાળાનાણા સાથે સંકળાયેલી તમામ બાબતોની તપાસ માટે વિશેષ તપાસ
ટીમ (એસઆઇટી)ની પુન:રચના માટે વધુ સમય આપવાની માંગણી કરી છે. કેન્દ્ર એ આ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ એક સપ્તાહનો સમય માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂર્વ ન્યાયાધીશ એમ બી શાહની અધ્યક્ષતામાં એસઆઇટીની પુન:રચના કરવા માટે પરિપત્ર બહાર પાડવાનો આદેશ આપ્યો હતો. આ સંબંધમાં એક અરજી સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી એક મેથી ત્રણ સપ્તાહની સમય મર્યાદા પૂરી થવાના એક દિવસ પહેલા કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર બદલાતા આદેસ પર અમલ કરવા માટે વધારે સમયની જરૂર છે. કેન્દ્રની અરજી પર શુક્રવારે સુનવણી થઇ શકે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટની અવકાશ પીઠે ન્યાયમૂર્તિ શાહની અધ્યક્ષતામાં એસઆઇટી ફરીથી ગઠિત કરવાના તેના નિર્ણયની સમીક્ષા કરવાના યુપીએ સરકારની અરજી પર તરત સુનવણી કરવા અંગે 16 મેના રોજ ઇનકાર કર્યો હતો. તેના છ દિવસ બાદ કેન્દ્રએ સમયસીમા વધારવાની અરજી કરી છે.
ન્યાયમૂર્તિ શાહ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના સેવાનિવૃત્ત ન્યાયાધીશ અરિજીત પસાયતને વિશેષ તપાસ દળ એસઆઇટીના ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે જે દેશ અને વિદેશમાં કાળા ધન સાથે સંકળાયેલા તમામ કેસમાં તપાસનું માર્ગદર્શન અને સલાહ આપશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
