હવે સમીર વાનખેડે સામે નિવેદનબાજી નહિ કરી શકે નવાબ મલિક, બૉમ્બે હાઈકોર્ટે નિવેદનબાજી પર લગાવી રોક
મલિકે સમીર વાનખેડે સામે મોરચો ખોલ્યો છે અને રોજ નવા ખુલાસા કરી રહ્યા છે પરંતુ હવે તેમને બૉમ્બે હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.
મુંબઈઃ હાઈ પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્ઝ પાર્ટી કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ બાદ ચર્ચામાં આવેલા મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની કાર્યશેલી પર મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે સતત સવાલ ઉઠાવી રહ્યા છે. મલિકે સમીર વાનખેડે સામે મોરચો ખોલ્યો છે અને રોજ નવા ખુલાસા કરી રહ્યા છે પરંતુ હવે તેમને બૉમ્બે હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે વાનખેડેના પરિવાર સામે નિવેદનબાજી કરવા પર રોક લગાવી દીધી છે.

વાસ્તવમાં, સમીર વાનખેડેના પિતાની અરજી પર બૉમ્બે હાઈકોર્ટે નવાબ મલિક અને તેમના ફેમિલીને નિર્દેશ આપીને કહ્યુ છે કે તે હવે વાનખેડે ફેમિલી સામે કંઈ પણ જાહેર કરી શકશે નહિ, સાથે જ કોઈ પણ પ્રકારની નિવેદનબાજી પર પણ રોક લગાવી દીધી છે. માહિતી અનુસાર સમીર વાનખેડેના પિતાએ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી કે કેબિનેટ મંત્રી તરફથી જાહેર નકામી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે.
ત્યારબાદ કોર્ટે નવાબ મલિકને ઝટકો આપીને નિવેદનબાજી કરવા પર રોક લગાવી દીધી છે. કોર્ટમાં નવાબ મલિકના વકીલે કહ્યુ કે 9 ડિસેમ્બર સુધી નવાબ મલિક હવે વાનખેડે અને તેમના પરિવાર સામે કોઈ પોસ્ટ શેર નહિ કરી શકે. આ તરફ એનસીપી નેતા નવાબ મલિકે ગુરુવારે સમીર વાનખેડેની માના મૃત્યુ પ્રમાણપત્રને શેર કરીને આરોપ લગાવ્યો કે એનસીબી અધિકારીએ નકલી દસ્તાવેજ તૈયાર કર્યા છે. મલિકે આરોપ લગાવ્યો કે જાહિદા દાઉદ વાનખેડેના બે મૃત્યુ પ્રમાણપત્ર છે, બંને અલગ-અલગ ધર્મના છે. બંને મૃત્યુ પ્રમાણપત્ર શેર કરીને મલિકે એક ટ્વિટમાં કહ્યુ છે કે, 'વધુ એક છેતરપિંડી, અંતિમ સંસ્કાર માટે મુસ્લિમ અને સરકારી દસ્તાવેજન માટે હિંદુ?'
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
