For Quick Alerts
For Daily Alerts
તેલંગાણા મુદ્દે શિંદે અને ચિદંબરમ વિરૂદ્ધ દાખલ થશે 420 નો કેસ !
રંગારેડ્ડી કોર્ટમાં તેલંગાણાના સમર્થકોએ અરજી આપી હતી કે પી ચિદંબરમે ગૃહમંત્રી હતા ત્યારે તેલંગાણાને અલગ રાજ્ય તરીકે રચવાનો વાયદો કર્યો હતો પરંતુ તેમને આ વાયદો પૂરો કર્યો નથી. તાજેતરમાં જ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પણ 28 જાન્યુઆરીની ડેડલાઇન આપતાં આવો જ વાયદો કર્યો હતો પરંતુ હવે સુશિલ કુમાર શિંદે વધુ સમય માંગી રહ્યાં છે. આ પ્રજા સાથે વિશ્વાસઘાત છે માટે તે બંને નેતા વિરૂદ્ધ કેસ ચાલવો જોઇએ.
અરજી પર સુનાવણી બાદ રંગારેડ્ડી મેટ્રોપોલિટન કોર્ટે બંને નેતાઓ પર તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિમવાના વાયદાને પૂરા ન કરવાના આરોપ પર પ્રથમ નજરે યોગ્ય ગણાવ્યો છે અને સુશીલ કુમાર શિંદે અને પી ચિદંબરમ વિરૂદ્ધ એલપી નગર પોલીસને કલમ 420 હેઠળ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
Comments
p chidambaram shushil kumar shinde upa andhra pradesh telangana પી ચિદંબરમ સુશિલ કુમાર શિંદે યુપીએ આંધ્ર પ્રદેશ તેલંગણા
English summary
In a major embarrassment to the Congress government at the centre, a court in Andhra Pradesh on Monday directed the state police to register a case against two UPA ministers for giving false assurances to the people of Telangana on the issue of its statehood.