For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા મુદ્દે શિંદે અને ચિદંબરમ વિરૂદ્ધ દાખલ થશે 420 નો કેસ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

p-chidambaram
હૈદ્રાબાદ, 28 જાન્યુઆરી: આંધ્રપ્રદેશની રંગારેડ્ડી કોર્ટે દેશના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને નાણામંત્રી પી ચિદંબરમ પર છેતરપિંડીનો કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે. બંને વિરૂદ્ધ તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિર્માણ ન કરવાના વાયદાને પુરો ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે સુનાવણી બાદ સુશીલ કુમાર શિંદે અને પી ચિદંબરમ પર કલમ 420 હેઠળ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

રંગારેડ્ડી કોર્ટમાં તેલંગાણાના સમર્થકોએ અરજી આપી હતી કે પી ચિદંબરમે ગૃહમંત્રી હતા ત્યારે તેલંગાણાને અલગ રાજ્ય તરીકે રચવાનો વાયદો કર્યો હતો પરંતુ તેમને આ વાયદો પૂરો કર્યો નથી. તાજેતરમાં જ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પણ 28 જાન્યુઆરીની ડેડલાઇન આપતાં આવો જ વાયદો કર્યો હતો પરંતુ હવે સુશિલ કુમાર શિંદે વધુ સમય માંગી રહ્યાં છે. આ પ્રજા સાથે વિશ્વાસઘાત છે માટે તે બંને નેતા વિરૂદ્ધ કેસ ચાલવો જોઇએ.

અરજી પર સુનાવણી બાદ રંગારેડ્ડી મેટ્રોપોલિટન કોર્ટે બંને નેતાઓ પર તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિમવાના વાયદાને પૂરા ન કરવાના આરોપ પર પ્રથમ નજરે યોગ્ય ગણાવ્યો છે અને સુશીલ કુમાર શિંદે અને પી ચિદંબરમ વિરૂદ્ધ એલપી નગર પોલીસને કલમ 420 હેઠળ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

English summary
In a major embarrassment to the Congress government at the centre, a court in Andhra Pradesh on Monday directed the state police to register a case against two UPA ministers for giving false assurances to the people of Telangana on the issue of its statehood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X