સજા છે કે પોસ્ટિંગ...કૂતરાને વૉક કરાવનાર IAS કપલની ટ્રાન્સફર પર શું કહી રહ્યા છે બાકીના અધિકારીઓ
દિલ્લીના આઈએએસ દંપત્તિ સંજીવ ખિરવાર અને તેમના પત્ની રિંકુ ધુગ્ગાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. કૂતરાને વૉક કરાવનાર IAS કપલની ટ્રાન્સફર પર શું કહી રહ્યા છે બાકીના અધિકારીઓ..
નવી દિલ્લીઃ દિલ્લીના ત્યાગરાજ સ્ટેડિયમમાં વીઆઈપીની જેમ કૂતરાને વૉક કરાવવા માટે આઈએએસ દંપત્તિ સંજીવ ખિરવાર અને તેમના પત્ની રિંકુ ધુગ્ગાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. કૂતરાને વૉક કરાવવા માટે આઈએસ દંપત્તિ ત્યાગરાજ સ્ટેડિયમને જલ્દી ખાલી કરાવી દેતા હતા. 1994 બેચના ભારતીય પ્રશાસનિક સેવા(આઈએએસ) અધિકારી સંજીવ ખિરવારને લદ્દાખ અને તેમના પત્ની રિંકુ ધુગ્ગા કે જે પણ એક આઈએસએસ છે, તેમને અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં ટ્રાન્સફરના આ સમાચારે ઘણા સેવારત અને સેવાનિવૃત્ત અધિકારીઓને ચોંકાવ્યા નથી. તેમણે કહ્યુ કે ગૃહ મંત્રાલય(એમએચ)માંથી તેમને અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશો(એજીએમયુટી) કેડરને નિયંત્રિત કરનાર અધિકારીઓની જરુર હતી, આ ટ્રાન્સફર તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જો કે, ટ્રાન્સફરના ટાઈમિંગને લઈને આ સજા જેવુ લાગી શકે છે.
સજા કે પોસ્ટિંગ... શું વિચારે છે બાકીના અધિકારીઓ?
ન્યૂઝ18માં છપાયેલા અહેવાલ મુજબ દેશના પૂર્વ અમલદારો અને કાર્યકારી અધિકારીઓને આ IAS દંપતીની બદલીને સજા ગણાવવા અંગે શંકા છે. હકીકતમાં મીડિયા અહેવાલો પછી ગૃહ મંત્રાલયે સંજીવ ખિરવાર અને તેની IAS પત્ની રિંકુ ધુગ્ગાના ટ્રાન્સફરનો આદેશ આપ્યો હતો. જે સૌથી વધુ લાગ્યુ હતુ કે તે અમલદારોને સરકાર તરફથી 'કડક સંદેશ' હતો. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના ભૂતપૂર્વ સચિવે ન્યૂઝ18 ને જણાવ્યુ હતુ કે આ બદલીને સજા તરીકે ગણી શકાય નહિ. ભલે ઘટના સાચી હોય પરંતુ તે સત્તાનો અયોગ્ય દુરુપયોગ હતો.
'દરેક પોસ્ટ મહત્વની છે'
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના ભૂતપૂર્વ સચિવે જણાવ્યુ હતુ કે, 'સજા માટે, એક તપાસ થવી જોઈએ, જે એક લાંબી પ્રક્રિયા છે અને એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે, જે અહિ કેસ ન હતો. આ કિસ્સામાં સરકાર અમલદારોને ઝડપી અને મજબૂત સંદેશ મોકલવા માંગતી હતી. જેમાંથી કેટલાક હજુ પણ સંસ્થાનવાદી માનસિકતા ધરાવે છે.
'પતિ-પત્નીના સાથે ટ્રાન્સફર કરવાનો કોઈ નિયમ નથી...'
સરહદી સ્થળોએ થયેલી બદલીઓ વિશે વાત કરતાં પૂર્વ અમલદારે કહ્યુ કે, માત્ર એક જ બાબત ખોટી લાગે છે IAS દંપતીની અલગ-અલગ જગ્યાએ પોસ્ટિંગ. જો કે, એવો કોઈ નિયમ નથી કે તેઓ (દંપતી)ને એક જ જગ્યાએ પોસ્ટ કરવા જોઈએ પરંતુ સરકાર ઘણીવાર કપલ (દંપતી)ને સાથે રાખવાનો પ્રયાસ કરે છે. જો અધિકારીઓ પોસ્ટિંગથી નારાજ હોય તો તેઓ હંમેશા સરકાર સમક્ષ રજૂઆત કરી શકે છે. ભારત સરકારના ભૂતપૂર્વ સચિવ, અનિલ સ્વરૂપ, જેમણે નાગરિક કર્મચારીઓ પર અનેક પુસ્તકો લખ્યા છે અને અમલદારશાહી મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે, તેમણે કહ્યુ કે મેં બે વાર લદ્દાખની મુલાકાત લીધી છે અને મને જાણવા મળ્યુ છે કે તે ક્ષેત્રમાં ઘણુ કરી શકાય છે. તો તેને સજા નહિ પણ પોસ્ટિંગ કેમ ન કહી શકાય?
'આ કોઈ સજા તરીકે કરવામાં આવેલ પોસ્ટીંગ નથી..'
હાલમાં તેમના રાજ્ય કેડરમાં કાર્યરત એક વરિષ્ઠ અમલદારે કહ્યુ કે સરકારે આચાર નિયમોના ઉલ્લંઘનને ટાંકીને તેમને (સંજીવ ખિરવાર અને રિંકુ ધુગ્ગા) ને કારણ બતાવો નોટિસ જાહેરી કરી નથી. તેથી તે સજા તરીકે પોસ્ટિંગ નથી. જો કે, કોઈપણ નિયમો હેઠળ ટ્રાન્સફર એ સજા નથી. કાયદેસર રીતે તે એક નિયમિત વહીવટી પ્રક્રિયા છે.
'મીડિયા રિપોર્ટ પર ટ્રાન્સફર કરવામાં નથી આવતી..'
ભૂતપૂર્વ નાણા સચિવ અરવિંદ માયારામે ધ્યાન દોર્યુ કે ટ્રાન્સફર એ પોતે સજા નથી પરંતુ તે સંદર્ભ છે જે તેને સજા બનાવે છે. ભૂતપૂર્વ નાણા સચિવ અરવિંદ માયારામે વધુમાં કહ્યું, 'હવે તમે કલ્પના કરો કે જો આ બદલીઓ અખબારના અહેવાલના આધારે કરવામાં આવી હતી, તો પછી યોગ્ય તપાસ કર્યા વિના આટલા ઓછા સમયમાં ટ્રાન્સફર કેવી રીતે કરવામાં આવી. જો કે ટ્રાન્સફર ઓર્ડર યોગ્ય ચકાસણી કર્યા વિના ટૂંકા ગાળામાં જાહેર કરવામાં આવ્યા હતા. તે એક ચેતવણી તરીકે જોઈ શકાય છે.' તેમણે કહ્યુ, 'એવી ધારણા છે કે જો કોઈ નોકરિયાત હોય તો તેણે ખોટુ કર્યુ હશે. હાલના કિસ્સામાં IAS અધિકારીએ સ્ટેડિયમને સાંજે 7 વાગ્યે બંધ કરવાનુ કહ્યુ હતુ કે કેમ તે શોધવુ મહત્વપૂર્ણ હતુ.'