મને મારવાથી કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે તો હું મરવા તૈયાર છું: કેજરીવાલ
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: ગાઝિયાબાદના કૌશાંબી સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય પર હિન્દુ રક્ષા દળના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલા બાદ દુ:ખી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે શું તેઓ પ્રશાંત ભૂષણની હત્યા કરવા માંગે છે. જો મારામારીથી કાશ્મીરની સમસ્યાનું સમાધાન થઇ શકતું હોય તો હું માર ખાવા માટે તૈયાર છું.
કેજરીવાલે જણાવ્યું કે 'તેઓ શું ઇચ્છે છે, શું તેઓ પ્રશાંતજીને જાનથી મારવા માગે છે. જો તેમને લાગતું હોય કે મને અથવા પ્રશાંત ભૂષણને મારવાથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી જતો હોય તો મને જણાવો કે મારે ક્યારે અને ક્યાં આવવાનું છે. હું ત્યાં આવી જઇશ.'
તેમણે જણાવ્યું કે 'મારે મારા માટે સુરક્ષાની કોઇ જરૂરીયાત નથી પરંતુ હું કાર્યકર્તાઓને પૂછીશ. જો તેમને લાગશે તો હું કાર્યાલય માટે સુરક્ષાની માંગ કરીશ. એવું લાગી રહ્યું છે કે રાજનીતિ કરવામાં આવી રહી છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે હિન્દુ રક્ષા દળે કૌશાંબીમાં સ્થિત આમ આદમી પાર્ટીની ઓફીસ પર હુમલો કર્યો હતો. પ્રશાંત ભૂષણના કાશ્મીરમાં સેના બંદોબંસ્ત પર જનમત સંગ્રહના નિવેદનને લઇને આ હુમલો કર્યો હતો.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ









Click it and Unblock the Notifications
