નરેન્દ્ર મોદીની રાહમાં કાંટા બિછાવી રહ્યું છે દિલ્હી ભાજપ
નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની વિધાનસભાના પહેલા દિવસે જ્યારે બહુમત સિદ્ધ કરવી હતી, ત્યારે કોંગ્રેસે ધારાસભ્ય અરવિંદર સિંહ લવલીએ કહ્યું હતુ કે અટલ બિહારી વાજપાયી બાદ ભાજપમાં લાલ કૃષ્ણ અડવાણીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને તેઓ પીએમ ઇન વેઇટિંગ બનીને રહી ગયા. હવે નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા છે અને તે પણ પીએમ ઇન વેઇન્ટિંગ બનીને રહી જશે. તેમનું વડાપ્રધાન બનવાનું સ્વપ્ન ક્યારેય પૂર્ણ નહીં થાય.

દિલ્હી વિધાનસભાએ જ્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે બહુમત એકઠી કરી શકી નહીં, તો રાજકીય વિશ્લેષકોએ કહ્યું કે ભાજપનો આ હાલ મુખ્યમંત્રી પદના પદ માટે થયેલા આંતરિક વિવાદ અને હર્ષવર્ધનના નામ પર મોહર લગાવવામાં થયેલું મોડુ થવાના કારણે છે. આ ભૂલ બાદ હવે દિલ્હી ભાજપ વધુ એક ભૂલ કરવા જઇ રહ્યું છે. તે છે આમ આદમી પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલવાનું છે. જે રીતે શુક્રવારે ભગવા ટોપી પહેરીને ભાજપના નેતાઓ ટોપીનો જવાબ ટોપીથી આપશે, તે ખરા અર્થમાં દિલ્હી ભાજપની નકારાત્મક વિચારસરણીનું પ્રતીક હતું.
ભાજપને એ સમજવુ પડશે કે દેશના મતદાતાઓ ઘણા જ સમજદાર છે, તેને ખબર છે કે કેજરીવાલની દિલ્હીમાં પરીક્ષા હજુ ખતમ નથી થઇ. આ પરીક્ષા હજુ આખું વર્ષ ચાલશે. તેથી વારંવાર કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાથી દિલ્હી જનતાને ભાજપથી ઘૃણા થવા લાગશે અને એવું થવાથી નરેન્દ્ર મોદીને મત આપવા તૈયાર બેસેલા છે, તેમના મનમાં ખટાશ આવી જશે. દિલ્હીની ભાજપને એ સમજવુ પડશે કે આમ આદમી પાર્ટી પોતાની સાથે ભલે એક કરોડો લોકોને જોડી લે અથવા તો બે કરોડ લોકો તેને જ વોટ આપશે, જેમની પાસે કેન્દ્રમાં સરકાર ચલાવવાનો દમ છે અને એ દમ હજુ આમ આદમી પાર્ટીમાં નથી.
ભાજપીઓને દૂર જવાની જરૂર નથી, પોતાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પાસેથી શીખવું જોઇએ. વડાપ્રધાન મનમોહન સિંહએ પોતાની પ્રેસવાર્તામાં કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો દેશ બરબાદ થઇ જશે, પરંતુ મોદીએ એ વાતનો કોઇ જવાબ આપ્યો નહીં અને ના કોંગ્રેસ અંગે તીખા પ્રહારો કર્યા, કારણ કે ભારતની પરંપરા રહી છે કે ગાળ આપનારાની ગાળ સાંભળીને તેના બદલામાં સ્મિત આપનારાનું કદ વધુ ઉંચુ થઇ જાય છે. તેથી ભાજપે પોતાનું કદ ઉંચુ કરવા માટે કોઇ બીજી રણનીતિ અપનાવવી પડશે, નહીં તો જે જમીન મોદીએ તૈયાર કરી છે, તેને પણ ગુમાવી દેશે.
જેટલો જોશ આમ આદમી પાર્ટીમાં છે, એટલો જ જોશ તેના નવા સભ્યોમાં જોવા મળી રહ્યું છે. હાલના સમયે આમ આદમી પાર્ટી આમ જનતા માટે ભગવાને મોકલેલા દૂતથી ઓછું નથી અને જો કોઇ ભગવાને દૂતને ગાળો આપશે તો તમને જ ખોટું લાગશે. જેથી ભાજપે હાલના સમયે વેટ એન્ડ વોચની સ્થિતિમાં રહેવાની જરૂર છે.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ







Click it and Unblock the Notifications
