વંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારાની હવે ખેર નથી, આ રીતે થશે ઓળખ
વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારો કરનારાઓને પકડવા માટે હવે રેલવેએ આ ટ્રેનના બહારના ભાગ પર કેમેરા લગાવ્યા છે જેથી પત્થરમારાની ઘટનાઓ વિશે માહિતી મેળવી શકાય
દેશની સૌથી ચર્ચિત સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ (Train-18) પર પત્થરમારો કરવાના ઘણા કેસ સામે આવ્યા છે. વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારો કરનારાઓને પકડવા માટે હવે રેલવેએ આ ટ્રેનના બહારના ભાગ પર કેમેરા લગાવ્યા છે જેથી પત્થરમારાની ઘટનાઓ વિશે માહિતી મેળવી શકાય અને તેમના પર રોક લગાવી શકાય. વળી, દેશની પહેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેનને થતા નુકશાનથી બચાવી શકાય.

કેમેરા કરશે પત્થર ફેંકનારાની ઓળખ
રેલવેના અધિકારીઓએ જણાવ્યુ કે ફેબ્રુઆરીમાં કોમર્શિયલ રન બાદ આ ટ્રેન પર ઓછામાં ઓછી એક ડઝનથી વધુ પત્થરમારાની ઘટનાઓ સામે આવી છે. અધિકારીઓએ કહ્યુ કે પત્થરમારાને કારણે અત્યાર સુધી 12 બારીઓના કાચ બદલવામાં આવ્યા છે. ગયા મહિને રેલવેએ વારાણસી અને દિલ્લી વચ્ચે ચાલતી આ ટ્રેન પર ચાર કેમેરા લગાવ્યા - બે આગળ અને બે પાછળના છેડા પર.

ટ્રેન પર પત્થરમારાના ઘણા કેસ આવ્યા સામે
આરપીએફ ડીજી અરુણ કુમારે જણાવ્યુ કે 17 માર્ચના રોજ પત્થરમારાનો વધુ એક કેસ સામે આવ્યો હતો અને આ કેમેરાના કારણે એ જાણી શકાયુ કે પત્થર કયા વિસ્તારો અને કઈ તરફથી ફેંકવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યુ કે પૉલી કાર્બોનેટ શીટ્સ સાથે કાચની બારીઓને કવર કરવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારા સામે પોલિસ કડક કાર્યવાહી કરશે. તેમની ધરપકડ માટે ઘણી વિશેષ ટીમોને સક્રિય કરવામાં આવી છે. સાથે જ ટ્રેનની અંદર ધ્યાન રાખવા માટે સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે જે શંકાસ્પદ સ્થળોનું લોકેશન તત્કાળ કંટ્રોલ રૂમને મોકલી રહ્યા છે.

પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન છે વંદે ભારત
આ પહેલા કોશાંબી જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પત્થરમારાનો કેસ સે આવ્યો તો પત્થરબાજોની ધરપકડ માટે ટ્રેનમાં સફર કરી રહેલી વિશેષ ટીમે અમુક સ્થળોને ચિન્હિત કર્યા અને રંગે હાથ એક યુવકની ધરપકડ પણ કરી લીધી હતી. વંદે ભારત એક્સપ્રેસ પર ડઝનેક પત્થરમારાની ઘટનાઓ સામે આવી છે. સરસોલ, કટોઘન, ખાગા, થરવઈ, ભદોહી સહિત ઘણા સ્થળોએ વંદે ભારત પર પત્થરો ફેંકવામાં આવ્યા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
