For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલ્બે સાદિકે પણ આલાપ્યો 'નમો રાગ', કહ્યું મોદી મુસલમાનો માટે અછૂત નથી

|
Google Oneindia Gujarati News

લખનઉ, 26 ઓક્ટોબર: નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની સાથે સાથે કટ્ટર છબિમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. હિન્દુત્વનો રાગ આલાપનાર નરેન્દ્ર મોદીની ઇમેજ હવે મુસ્લિમોની નઝરમાં બદલાઇ રહી છે. તેમની લોકપ્રિયતા હવે મુસલમાનોની વચ્ચે પણ વધતી જઇ રહી છે.

મુસ્લિમ ધર્મગુરુ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના કલ્બે સાદિકે લોકસભા ચૂંટણી પહેલા એવું કહીને સૌને ચોંકાવી દીધા છે કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધા પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી મુસ્લિમ સમાજ માટે અછૂત નથી. સાદિકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોદીનો ભૂતકાળ ભૂલાવી શકાય છે જો તે પોતાને બદલે તો અમે પણ ખુદને બદલવા માટે તૈયાર છીએ.

kalbe sadiq
મુસ્લિમ ધર્મગુરુઓએ જણાવ્યું કે ઇતિહાસમાં એવા તમામ ઉદાહરણો છે, જેમનો ભૂતકાળ તો સારો ન્હોતો, પરંતુ બાદમાં તેમણે પોતાને સુધારી લીધા. સાદિકે જણાવ્યું કે મોદી હિન્દુ-મુસ્લિમનો સવાલ બાજુ પર મૂકે, અને ગરીબી, ભ્રષ્ટાચાર, વાડાબંધી અને અન્યાય પર પોતાનો એજન્ડો અને પ્લાન સાર્વજનિક કરે. અમે તેની પર વિચાર કરવા માટે તૈયાર છીએ.

સાદિક કહે છે કે આજે હિન્દુસ્તાનની સામે હિન્દુ અને મુસ્લિમનો પ્રશ્ન નાનો છે, ચીન અને પાકિસ્તાન સામેનો ખતરો મોટો છે. આવામાં મોદી મોટા પ્રશ્નો પર પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે તો વાત આગળ વધી શકે છે.

English summary
Can vote for Modi if he changes himself All india muslim personal law board's vise president Maulana Kalbe Sadiq says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X