રાષ્ટ્રધ્વજનું અપમાન: અણ્ણા હજારે સામે ચાલશે કેસ
નવી દિલ્હી, 18 ઓગષ્ટ: રાષ્ટ્રધ્વજના અપમાનના આરોપમાં ઉત્તર પ્રદેશમા જૌનપુરના સીજેએમ કોર્ટે શનિવારે સમાજસેવક અણ્ણા હજારે સામે લાઈન બજાર મથકમા ગુનો દાખલ કરવાનો આદેશ આપવામા આવ્યો હતો. ફરિયાદ અનુસાર થોડા દિવસ પહેલા જીલ્લામાં એક કાર્યક્રમ માં અણ્ણા હજારેએ તિરંગાનો દુરઉપયોગ કર્યો હતો.
દીવાની કોર્ટના વકીલ હીમાંશુ શ્રીવાસ્તવે સીજેએમ કોર્ટમાં 156(3) હેઠળ અરજી કરી જણાવ્યું કે 29જુલાઇના રોજ ટીડી કોલેજ મેદાનમાં કરેલ જાહેરસભાના આયોજનમાં અણ્ણા હજારે ઇનોવા કાર લઇને આવ્યા હતા. તેમની કારના બોનેટ પર તિરંગાને ચોટાડવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને જમીન કે એવી જગ્યા પર આડોના પાડી શકાય.
આ રાષ્ટ્રીય ધ્વજના અપમાન ગુના નિવારણ અધિનીયમ હેઠળ ધારા બે હેઠળ દંડનીય અપરાધ છે. ઘટનાના દિવસે પોલીસને ફરીયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસે ગુનો નોંધ્યો ના હતો.
સીજેએમ નરેન્દ્ર બહાદુર પ્રસાદે અરજી પર વિચારીને જણાવ્યું કે આવી ઘટના ગંભીર બની શકે છે. લાઇન બજારના પોલીસ મથકને આદેશ આપ્યો કે તેના હેઠળ ગુનો દાખલ કરે.