હવે સિદ્ધુ પર ચાલ્યો ચૂંટણી કમિશનનો દંડો, ધર્મના નામે મત માંગવા પર થયો કેસ
કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સામે બિહારના કટિહારમાં ચૂંટણી રેલી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે.
કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સામે બિહારના કટિહારમાં ચૂંટણી રેલી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. પોતાના નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં રહેનાર પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ મંગળવારે કટિહારમાં રેલી દરમિયાન મુસ્લિમોને એક થઈને કોંગ્રેસના પક્ષમાં મત આપવાની અપીલ કરી હતી.

મુસ્લિમોને એક થઈને મત કરવાની કરી હતી અપીલ
નવજોત સિંહ સિદ્ધુના આ વિવાદિત નિવેદન બાદ આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારી અમિત કુમાર પાંડેયે આની નોંધ લઈને સ્થાનિક અધિકારી પાસે ભાષણની સીડી માંગી હતી. વળી, ભાજપે પણ સિદ્ધુના નિવેદન પર વાંધો વ્યક્ત કરીને ચૂંટણી કમિશનને આના સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
|
ભાજપે કરી હતી ફરિયાદ, કમિશને માંગી હતી ભાષણની સીડી
તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુની જેમ બસપા સુપ્રીમો માયાવતીએ દેવબંધની રેલીમાં મુસ્લિમો પાસે મહાગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી જે બાદ ચૂંટણી કમિશને કડક પગલાં લઈને તેમના પ્રચાર પર 48 કલાકની રોક લગાવી દીધી છે. કટિહાર રેલીમાં નવજોત સિદ્ધુએ કહ્યુ હતુ, ‘હું તમને બધાને ચેતવવા આવ્યો છુ મુસ્લિમ ભાઈઓ. તમે 64 ટકા વસ્તી છો અહીં, તમે મારી પાઘડી છો. તમે બધા લોકો પંજાબમાં કામ કરવા જાવ છો. તમને અમારે ત્યાં પ્રેમ મળે છે, આ લોકો વહેંચી રહ્યા છે તમને. મુસ્લિમ ભાઈઓ, આ અહીં ઓવેસી જેવા લોકોને ઉભા કરીને તમારા મતોને વહેંચીને જીતવા ઈચ્છે છે.'

સિદ્ધુના નિવેદન પર ગરમાયુ રાજકારણ
સિદ્ધુએ કહ્યુ, '64 ટકા તમારી વસ્તી છે. જો તમે ભેગા થયા અને એક થઈને મત આપ્યા તો બધુ પલટી જશે, મોદી ઉલટાઈ જશે. મોદીને બાઉન્ડ્રીને પાર કરી દો.' બિહારની 40 લોકસભા સીટો પર 7 તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. પહેલા તબક્કામાં રાજ્યની 4 સીટો પર મતદાન 11 એપ્રિલે થયો હતો. બાકીની સીટો પર બાકીના6 તબક્કામાં મતદાન થશે. વળી, ચૂંટણી પરિણામ 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ











Click it and Unblock the Notifications
