કર્ણાટકે તામિળનાડુ માટે પાણી છોડવાનું શરૂ કર્યું

મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર અમે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. કિસાન સંગઠનોના વિરોધ પ્રદર્શનોને શાંત કરવાના પ્રયત્નો હેઠળ તેમણે કહ્યું કે વાંસના પાક બચાવવા માટે તામિળનાડુને 2.44 ટીએમસી પાણી છોડવાના કર્ણાટકને આપવામાં આવેલા નિર્દેશ વિરુદ્ધ અમે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા યાચિકા દાખલ કરવામાં આવશે.
સિંચાઇ અધિકારીઓએ જણાવ્યું કે કૃષ્ણરાજા સાગર જલાશયથી શનિવારે સવારે અંદાજે 1250 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રૈઠા સંઘના સભ્યો અધ્યક્ષ કેએસ પુત્તુનૈયાના નેતૃત્વમાં જિલ્લાના ગેજ્જાલાજરમાં માર્ગ જામ કરીને પાણી તત્કાળ રોકવાની માંગ કરી છે.
કેજેપી પ્રમુખ બીએસ યેદયુરપ્પા કાવેરી જલ વિવાદ પંચાટની અધિસૂચના વિરુદ્ધ કેન્દ્ર પર દબાણ બનાવવા માટે શરૂ કરવામાં આવેલી મૈસૂર-બેંગ્લોર પદયાત્રાને સ્થગિત કરી દેવા અને પાણી છોડવાની વિરોધમાં પ્રદર્શન માટે કૃષ્ણસાગર જલાશય તરફ રવાના થઇ ગયા.
યેદીયુરપ્પાએ માંગ કરી છે કે શેટ્ટારે તત્કાળ રાજીનામુ આપવું જોઇએ. તેમણે કહ્યું કે ભાજપ સરકાર તામિળનાડુના એજન્ટની જેમ કામ કરી રહી છે. તેણે પાણી છોડવાનું બંધ કરવું જોઇએ અને કર્ણાટકની સ્થિતિથી અવગત કરાવવા માટે પ્રધાનમંત્રીની પાસે પ્રતિનિધિમંડળ લઇ લેવું જોઇએ.
વરસાદ ન હોવાના કારણે કાવેરી બેસિનના તમામ જળાશયોમાં પાણી ઓછું થઇ ગયું છે અને રાજ્ય પહેલેથી જ પીવાના પાણીની કિલ્લતનો સામનો કરી રહ્યા છે. વિધાનસભામાં નેતા વિપક્ષ સિદ્દારમૈયાએ પણ તામિળનાડુ માટે પાણી છોડવાની નિંદા કરી હતી.












Click it and Unblock the Notifications
