For Quick Alerts
For Daily Alerts

વીકે સિંહ લાંચ કેસની તપાસ બંધ કરશે સીબીઆઇ
નવી દિલ્હી, 15 જુલાઇ : તત્કાલિન સેના પ્રમુખ જનરલ વીકે સિંહની બહુચર્ચીત ફરિયાદના આધાર પર સીબીઆઇ પોતાની પ્રાથમિક તપાસ બંધ કરી શકે છે, કારણ કે હજી સુધી તેમના આ દાવાના સમર્થનમાં કોઇ દસ્તાવેજ સુપરત કર્યું નથી. તેમને ખરાબ વાહનોના જથ્થાને મંજૂરી આપવા માટે 14 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
વરિષ્ઠ સીબીઆઇ અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષે જનરલ સિંહનું નિવેદન નોંધ્યા બાદ એજન્સીએ મામલાની તપાસ માટે અજાણ્યા લોકોની સામે એક પ્રાથમિકી તપાસ (પીઇ) નોંધી હતી. પરંતુ એક વર્ષની તપાસ બાદ કંઇ હાથ લાગ્યું નથી.
તેમણે જણાવ્યું કે પૂર્વ સેના પ્રમુખ દાવો કરી રહ્યા હતા કે તેમની પાસે કેટલાંક દસ્તાવેજ છે જેના કારણે આ મામલામાં એક નિવૃત્ત અધિકારી અને અન્યની સંડોવણી સાબિત થઇ જશે, પરંતુ હજી સુધી સીબીઆઇને એક પણ દસ્તાવેજ મળ્યો નથી.
અધિકારીઓએ જણાવ્યું કે જનરલ સિંહના અનુસાર લાંચની રજૂઆત 2010માં કરવામાં આવી હતી અને પૂર્વ સેના પ્રમુખ આ વાતને બતાવવામાં અસમર્થ છે. અને એ સવાલ પણ છે કે તેઓ બે વર્ષથી વધારેના સમય સુધી આ બાબતે ચૂપ કેમ રહ્યા.
Comments
English summary
The much-hyped complaint of then Army Chief Gen V K Singh is likely to be closed as he is yet to provide any document to support his claim that he had been offered a bribe of Rs 14 crore by a retired officer to clear a tranche of "sub-standard" vehicles.
Story first published: Monday, July 15, 2013, 17:57 [IST]