For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલગેટ: સીબીઆઇએ પીએમઓના બે અધિકારીઓના નિવેદન લીધા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

tka-nair
નવી દિલ્હી, 19 જૂન: સીબીઆઇ કોલસા ફાળવણી મુદ્દે નિવેદન દાખલ કરવા માટે વડાપ્રધાન મનમોહન સિંહના સલાહકાર ટીકેએ નાયરને જલદી જ બોલાવશે જ્યારે એજન્સીના પૂર્વ કોલસા સચિવ એસચી ગુપ્તાને આરોપીના રૂપમાં બોલાવ્યા હતા અને વડાપ્રધાન કાર્યાલયના બે પૂર્વ અધિકારીઓ સાથે પૂછપરછ કરી હતી.

સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી 2006 થી 2009 દરમિયાન ફાળવણી અનિયમિતતા સંબંધમાં જલદી જ નાયરને સાક્ષીના રૂપમાં બોલાવશે અને તેમનું નિવેદન નોધશે. એક સંબંધિત ઘટનાક્રમમાં સીબીઆઇએ તાજેતરમાં ભારતીય સ્પર્ધા કમિશન (સીસીઆઇ)ના સભ્ય પદેથી રાજીનામું આપી ચૂકેલા પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તાને આ કેસમાં આરોપી તરીકે પૂછપરછ માટે ગુરૂવારે બોલાવ્યા હતા.

સંભાવનાઓ છે કે સીબીઆઇ તેમને કોલસા ફાળવણી સ્ક્રિનિંગ કમિટીમાંથી મળેલી મંજૂરી અંગે પૂછપરછ કરશે. કેટલાક મુદ્દે તે આ કમિટીની અધ્યક્ષતા કરી ચૂક્યાં છે. આ દરમિયાન સીબીઆઇ 2006 અને 2009 દરમિયાન વડાપ્રધાન કાર્યાલયના બે અધિકારીઓ વિની મહાજન અને આશીષ ગુપ્તાના નિવેદન નોંધ્યા છે. તેમને આ કેસમાં સાક્ષી તરીકે પૂછપરછ કરી છે. આ દરમિયાન વડાપ્રધાન પાસે કોલસા મંત્રાલયનો ભાર હતો.

English summary
Prime Minister Manmohan Singh's advisor T K A Nair will soon be called by the CBI to record his statement in the coal blocks allocation scam case even as the agency quizzed two former PMO officials.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X