For Daily Alerts
કોલગેટ: સીબીઆઇએ પીએમઓના બે અધિકારીઓના નિવેદન લીધા
સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી 2006 થી 2009 દરમિયાન ફાળવણી અનિયમિતતા સંબંધમાં જલદી જ નાયરને સાક્ષીના રૂપમાં બોલાવશે અને તેમનું નિવેદન નોધશે. એક સંબંધિત ઘટનાક્રમમાં સીબીઆઇએ તાજેતરમાં ભારતીય સ્પર્ધા કમિશન (સીસીઆઇ)ના સભ્ય પદેથી રાજીનામું આપી ચૂકેલા પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તાને આ કેસમાં આરોપી તરીકે પૂછપરછ માટે ગુરૂવારે બોલાવ્યા હતા.
સંભાવનાઓ છે કે સીબીઆઇ તેમને કોલસા ફાળવણી સ્ક્રિનિંગ કમિટીમાંથી મળેલી મંજૂરી અંગે પૂછપરછ કરશે. કેટલાક મુદ્દે તે આ કમિટીની અધ્યક્ષતા કરી ચૂક્યાં છે. આ દરમિયાન સીબીઆઇ 2006 અને 2009 દરમિયાન વડાપ્રધાન કાર્યાલયના બે અધિકારીઓ વિની મહાજન અને આશીષ ગુપ્તાના નિવેદન નોંધ્યા છે. તેમને આ કેસમાં સાક્ષી તરીકે પૂછપરછ કરી છે. આ દરમિયાન વડાપ્રધાન પાસે કોલસા મંત્રાલયનો ભાર હતો.
English summary
Prime Minister Manmohan Singh's advisor T K A Nair will soon be called by the CBI to record his statement in the coal blocks allocation scam case even as the agency quizzed two former PMO officials.
Story first published: Wednesday, June 19, 2013, 11:54 [IST]