ચોપર ડીલઃ એસપી ત્યાગીની સીબીઆઇ દ્વારા પૂછપરછ

સીબીઇએ સૌથી પહેલા ત્યાગી બંધુ(જુલી ત્યાગી, ડોક્સા ત્યાગી અને સંદીપ ત્યાગી)ની દિલ્હીના હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી, બાદમાં પૂર્વ વાયુસેનાધ્યક્ષ એસપી ત્યાગીની પણ પૂછપરછ કરવામાં આવી.
નોંધનીય છે કે, હેલિકોપ્ટર ડીલમાં દલાલી લેવાના સંબંધમાં શંકાની સોઇ ત્યાગી બંધુઓ તરફ ઇશારા કરી રહી છે. બીજી તરફ પૂર્વ વાયુસેનાધ્યક્ષ પર પણ ઉચાપાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઇ તપાસ બાદ દાખલ કરવામાં આવેલા પ્રારંભિક અહેવાલ અનુસાર હેલિકોપ્ટર ડીલના સંબંધમાં 362 કરોડ રૂપિયાની દલાલી કોઇ ભારતીયને આપવામાં આવી હતી. આ સંબંધમાં સીબીઆઇએ મંગળવારે એરોમેટ્રિક્સ કંપનીના સીઇઓ પ્રવીણ બક્સીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
