Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું આધાર વૈકલ્પિક નહીં અનિવાર્ય છે

આધાર કાર્ડને લઇને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટમાં શું ચર્ચા થઇ વિગતવાર જાણો અહીં.

અત્યાર સુધી આધાર કાર્ડ સંબંધિત વિજ્ઞાપનમાં કહેવામાં આવતું હતું કે આધાર કાર્ડ વૈકલ્પિક છે અનિવાર્ય નહીં. પણ હવે સુપ્રીમ કોર્ટેમાં કેન્દ્ર સરકારે જવાબ આપતા જણાવ્યું છે કે આધાર કાર્ડ વૈકલ્પિક નહીં પણ અનિવાર્ય છે. કેન્દ્ર સરકારે તેમ પણ કહ્યું કે આધાર કાર્ડને કોઇ પણ યોજના સાથે લાગુ કરી શકાય છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આધાર અધિનિયમની ધારા 7માં સ્પષ્ટ રીતે કહ્યું છે કે આધાર વિભિન્ન કાર્યો માટે અનિવાર્ય છે. પણ યાચિકાકર્તા આ વાતને સમજી નથી રહ્યા.

aadhar

કેન્દ્રની તરફથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયલયમાં જે દલીલ આપવામાં આવી છે તેમાં આધાર કાર્ડને ઓળખ સંબંધ છેતરપીંડીથી બચવા માટેનો આધુનિક પ્રયાસ કહેવામાં આવ્યો છે. આધાર કાર્ડમાં ફિંગર પ્રિંટ સમેત રેટિનાની ઓળખ પણ આપવામાં આવે છે. અને ડેટા સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવશે. આ દ્વારા દેશભરના 113.7 કરોડ લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે દેશભરમાં 29 કરોડો લોકો પાસે પાનકાર્ડ છે. જેમાં ખાલી 5 કરોડ લોકો કરદાતા છે. 24 કરોડ લોકો તેવા છે જેમણે પાનકાર્ડ ખાલી તે માટે નીકાળ્યું છે કે તે તેનો ઉપયોગ ઓળખપત્ર તરીકે કરી શકે. પાનકાર્ડમાં લોકોનું નામ, ફોટો, જન્મ તારીફ હોય છે. પાનકાર્ડ માટે રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા અન્ય ઓળખ પત્રની જરૂર હોય છે જે નકલી પણ હોઇ શકે છે. નોંધનીય છે કે કે આયકર રિટર્ન ભરવા માટે આધાર જરૂરી છે. આ અંગે કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. ત્યારે કોર્ટમાં ચાલતી સુનવણી દરમિયાન ઉપરોક્ત માહિતી કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X