રિઝલ્ટની પહેલા કેન્દ્રીય કેબિનટની બેઠક, પીએમ મોદી પણ સામેલ થયા
રિઝલ્ટની પહેલા કેન્દ્રીય કેબિનટની બેઠક, પીએમ મોદી પણ સામેલ થયા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં હવે ગણતરીની કલાકો જ બચી છે. સત્તાધારી દળ એનડીએ અન વિપક્ષી દળ યૂપીએ પોતપોતાના સમીકરણ સાધવામાં લાગી ગયા છે. આ વચ્ચે મંગળવારે પીએમ મોદી ભાજપ ઑફિસમાં પોતાના કેન્દ્રીય મંત્રીમંડળના સાથિઓની સાથે બેઠક કરી. આ બેઠકમાં સામેલ થવા માટે પીએમ મોદી પણ પહોંચી ગયા છે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેમનું સ્વાગત કર્યું.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજના સિંહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, રાધામોહન સિંહ હરસિમરત કૌર બાદલ અને અનુપ્રિયા પટેલ વગેરે સામેલ થયા. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સિવાય સાથી દળના નેતા અને સાંદ પણ હાજર છે. ચૂંટણી પરિણામો પહેલા આ એનડીએની આ બેઠકને અતિ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામો બાદ બનનાર પરિસ્થિતિઓ પર ચર્ચા થશે.
ભાજપે પોતાની આગેવાનીવાળા ગઠબંધનને અને વધુ મજબૂતી આપવા તથા સરકાર ગઠન વિશે વિચાર વિમર્શ માટે ગઠબંધનના સહયોગી દળના નેતાઓની બેઠક પણ આજે બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજગના શીર્ષ નેતાઓને મંગળવારે રાત્રે ભોજન પર આમંત્રિત કર્યા છે. અગાઉ ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રિઓ અને ભાજપના શીર્ષ નેતાઓની બેઠક મળશે જેમાં પીએમ મોદી પણ હાજર રહેશે.
Visuals from Union Council of Minsters meeting at BJP office in Delhi. PM Narendra Modi also present pic.twitter.com/5F53KzWpVM
— ANI (@ANI) May 21, 2019
રાજગની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જદયૂ અધ્યક્ષ નીતિશ કુમાર, તમિલનાડુના મુખ્યમંત્રીના પલાનીસામી તથા લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન પણ હાજર રહેશે. આ બેઠકમાં શિરોમણિ અકાલી દળનું પ્રતિનિધિત્વ પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ અને પાર્ટી નેતા સુખબીર સિંહ બાદલ કરશે.
આ પણ વાંચો- EVMની સુરક્ષા પર પ્રણવ મુખરજી પણ ચિંતિત, કહ્યું- ભરોસો ન તૂટવા દે ચૂંટણી પંચ
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?





Click it and Unblock the Notifications
