દિલ્હી હિંસાઃ કેન્દ્ર સરકારે કેરળની બે ચેનલ પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો
દિલ્હી હિંસાઃ કેન્દ્ર સરકારે કેરળની બે ચેનલ પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો
નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે મલિયાલમ ચેનલ એશિયાનેટ ન્યૂજ અને મીડિયા વન પર 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ચેનલ પર આરોપ છે કે દિલ્હી હિંસાની કવરેજમાં મીડિયા એથિક્સનું ઉલ્લંઘન કરાયું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ એક આદેશમાં કહેવામાં આવ્યું કે એશિયાનેટ ન્યૂજનું કવરેજ એક તરફું હતું, જેમાં પૂજા સ્થળો પર હુમલા અને વિશેષ સમુદાયોના પક્ષને લઈ કરવામાં આવી રહેલી હિંસા દેખાડવામાં આવી હતી.
સરકારે એમ કારણ આપતા મીડિયા વન પર પણ 48 કલાકનો પ્રતિબંધ લાગ્યો છે. કેન્દ્ર સરકારે પોતાના આદેશમાં કહ્યું કે, ચેનલોએ દિલ્હી હિંસામાં પક્ષપાતપૂર્ણ રિપોર્ટિંગ કર્યું હતું. તેમનું રિપોર્ટિંગ સીએએના સમર્થકો દ્વારા કરવામાં આવેલ હિંસા પર આધારિત હતી. આ ચેનલોએ આરએસએસ અને દિલ્હી પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ચેનલે હિંસા માટે દિલ્હી પોલીસ અને આરએસએસને જવાબદાર ઠેરવતા આલોચના કરી હતી.
સામાન્ય શરદી-ખાંસી, ફ્લૂથી કેવી રીતે અલગ છે કોરોના વાયરસ, જાણો લક્ષણો