નાની ઉંમરમાં જ છોકરીઓને પરણાવી દેવી જોઇએ: ચૌટાલા

ઇન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ચૌટાલાએ ચંદીગઢમાં રાજ્યપાલને મળ્યા બાદ જણાવ્યું હતું કે રોજ મહીલાઓ પર બળાત્કાર થઇ રહ્યા છે. જો રાજ્ય સરકારે સમય રહેતા યોગ્ય પગલાં ભર્યા હોત તો આ નોબત ના આવતી. એક જ મહીનામાં બળાત્કારની 16 ઘટનાઓ ઘટી ચૂકી છે.
પૂર્વ મુખ્યમંત્રીએ બુધવારે જણાવ્યું કે મુઘલોના શાસનમાં પણ હવસખોરોથી દીકરીઓની રક્ષા કરવા માટે તેમને નાની ઉંમરમાં જ પરણાવી દેતા હતા. માટે આપણે પણ ઇતિહાસમાંથી શીખ લઇને ખાપ પંચાયતના આ નિર્ણયને માની લેવો જોઇએ.












Click it and Unblock the Notifications
