‘જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે': બિલાસપુર રેલીમાં પીએમ
ભાજપ તરફથી ડૉ. રમણ સિંહને ચોથી વાર જીત અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ કસર નથી છોડી રહ્યા.
છત્તીસગઢમાં મતદારોને લલચાવવા માટે રાજકીય પાર્ટીઓ પોતાનો પૂરા દમ સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ તરફથી ડૉ. રમણ સિંહને ચોથી વાર જીત અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ કસર નથી છોડી રહ્યા. સોમવારે પીએમ મોદી વિલાસપુર પહોંચ્યા છે જ્યાં તેમણે રેલીને પણ સંબોધિત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે મતદાન કરવુ એ લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ હોય છે. પીએમે કહ્યુ કે બોમ્બ, બંદૂક અને પિસ્તોલ બતાવતા લોકોને આ જનતા દમ દેખાડીને જ રહેશે. એક સપ્તાહ બાદ 20 તારીખે બાકીના ક્ષેત્રોમાં મતદાન થશે.

ભાજપ રાજકારણમાં એક નવી ધારા લઈને આવ્યુ છે
પીએમ મોદીએ કહ્યુ કે આ વખતે છત્તીસગઢમાં ભારે મતદાન કરીને નવો રેકોર્ડ કરવો જોઈએ. આ દેશમાં 1952થી અત્યાર સુધી અનેક ચૂંટણી થઈ પરંતુ મોટાભાગની ચૂંટણી જાતિવાદ પર ચૂંટાઈ. અમીર અને ગરીબની ખીણ પેદા કરીને લડવામાં આવી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યુ કે જો આ દેશને આપણા આઝાદીના દિવાનાઓના સપના જેવુ બનાવવુ હોય તો દેશને ગરીબીમાંથી મુક્ત કરાવવાનું છે, ગરીબીમાંથી મુક્તિ અપાવવી હોય તો દેશને ઉંચનીચના ભેદભાવમાંથી ઉપર ઉઠવુ પડશે. એટલા માટે ભાજપ રાજકારણમાં એક નવી ધારા લઈને આવી છે.
|
બીજાની ટીકાઓ કરવાથી વિશ્વાસ મળતો નથી
પીએમ મોદીએ કહ્યુ એટલા માટે ભાજપ વિકાસનો મંત્ર લઈને આવી. ઝડપી ગતિથી વિકાસ, ચારે તરફ, બધાનો વિકાસ આ મંત્રને લઈને અમે ચાલ્યા. એટલા માટે અમારા વિરોધી દળોને હજુ પણ સમજમાં નથી આવી રહ્યુ કે ભાજપ સાથે મુકાબલો કેવી રીતે કરે. ગરીબોના સપનાઓને સાકાર કરવા માટે અમે સંકલ્પ લઈને નીકળી પડ્યા છે. પીએમે કહ્યુ કે અમે દરેક કસોટી પર વિકાસના મુદ્દા પર પરિણામ મેળવ્યા છે. પરિવર્તન મેળવ્યા છે. વિશ્વાસ બીજાની ટીકાઓ કરવાથી પેદા નથી થતો. ગાળાગાળી કરવાથી પેદા નથી થતો. આજે છત્તીસગઢના દરેક ખૂણે હું આ વિશ્વાસ અનુભવી રહ્યો છુ.
|
જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે
પીએમે કહ્યુ કે હું આજે વિરોધીઓને પૂછવા ઈચ્છુ છુ તે શું કારણ હતુ જ્યારે મધ્ય પ્રદેશ અલગ નહોતુ થયુ ત્યારે એમપી અને છત્તીસગઢ બીમારુ રાજ્યમાં ગણાતુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે તેમનુ રાજકારણ એક પરિવારથી શરૂ થાય છે અને એક પરિવારમાં આવી પૂરુ થાય છે. પરંતુ અમારુ રાજકારણ ગરીબની ઝૂંપડીથી શરૂ થાય છે તેને બદલીને ચાલે છે. કયો ગરીબ નથી ઈચ્છતો કે તે બેંકમાં થોડા પૈસા જમા કરે. પરંતુ આ પરિવારોમાં ઉછરેલા લોકો, પરિવાર માટે જીવતા મરતા લોકો સામાન્ય લોકોની આકાંક્ષાઓથી સેંકડો મીલ દૂર હતા. અમુક લોકો એવા છે જે નોટબંધીનો હિસાબ માંગી રહ્યા છે. જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે.
-
Petrol Diesel Price: 5 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
