દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે આપ્યું રાજીનામુ, પીએમ મોદીને લઇ કહી આ વાત
ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે શુક્રવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કે.વી. સુબ્રમણ્યમે તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત, તેમણે એક સત્તાવાર નિવ
ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે શુક્રવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કે.વી. સુબ્રમણ્યમે તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત, તેમણે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે હવે એકેડમિકમાં પાછા જવાનો નિર્ણય કર્યો છે.
ડિસેમ્બર 2018માં પદ સંભાળ્યું
તમને જણાવી દઈએ કે કે.વી. સુબ્રમણ્યમે 7 ડિસેમ્બર 2018 ના રોજ દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે અરવિંદ સુબ્રમણ્યમે આ પદ છોડી દીધું હતું. તેમના રાજીનામા બાદ નવા સીઈએના નામની જાહેરાત હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી.
પીએમ મોદીથી વધુ પ્રેરણાદાયી નેતા કોઈને મળ્યા નથી: કે.વી. સુબ્રમણ્યમ
પોતાના કાર્યકાળ વિશે બોલતા કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે મને સરકારની અંદરથી જબરદસ્ત પ્રોત્સાહન અને સમર્થન મળ્યું છે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સારા સંબંધો છે. આ સિવાય, મારા વ્યાવસાયિક જીવનના લગભગ ત્રણ દાયકાઓમાં મને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કરતાં વધુ પ્રેરણાદાયી નેતા ક્યારેય મળ્યા નથી. કેવી સુબ્રમણ્યમે કહ્યું કે પીએમ મોદીની આર્થિક નીતિ અંગેની તેમની સમજણ ઘણી સારી છે.