ચીફ જસ્ટિસ બોબડેએ આપ્યું નિવેદન, કહ્યું: નાગરિકો પાસેથી વધુ ટેક્સ વસૂલવો એ અન્યાય

સામાન્ય બજેટની રજૂઆતના એક અઠવાડિયા પહેલા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ.બોબડેએ બજેટ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સીજેઆઈએ કહ્યું કે સરકાર દ્વારા નાગરિકો પર વધુ કે મનસ્વી ટેક્સ લાદવો એ સમાજ પ્રત

સામાન્ય બજેટની રજૂઆતના એક અઠવાડિયા પહેલા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ.બોબડેએ બજેટ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સીજેઆઈએ કહ્યું કે સરકાર દ્વારા નાગરિકો પર વધુ કે મનસ્વી ટેક્સ લાદવો એ સમાજ પ્રત્યેનો અન્યાય છે. આ સાથે તેમણે કહ્યું હતું કે કરચોરી એ આર્થિક અપરાધ છે સાથે સાથે દેશના બાકીના નાગરિકો પર સામાજિક અન્યાય છે. દેશ હાલમાં આર્થિક તાણની લપેટમાં છે. એવું માનવામાં આવે છે કે સરકાર ટેક્સ સ્લેબને બદલી શકે છે.

CJI Bobde

ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલ (આઇટીએટી) ની 79મી સ્થાપનાને સંબોધન કરતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે મધમાખી ફૂલોને નુકસાન પહોંચાડ્યા વિના જ મધમાખીનો રસ કાઢે છે તેવી જ રીતે નાગરિકો પાસેથી પણ ટેક્સ વસૂલ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, દેશમાં સંસાધનો વધારવામાં ટેક્સ ન્યાયતંત્રની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. કરદાતાને પ્રોત્સાહિત કરવા માટે યોગ્ય અને ઝડપી વિવાદનું નિરાકરણ મેળવવું જોઈએ.

આ સાથે, મુખ્ય ન્યાયાધીશે ન્યાયતંત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર ભાર મૂક્યો છે. બોબડેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X